________________
ભગવાન પાર્શ્વનાથ : 37
રાખે. તેથી સમ્યગદશન સંસારસાગર તરી જવાનું અમેઘ સાધન છે. અજગર કોણ હતા તે વાચકેના ધ્યાનમાં આવી ગયું હશે.
પાંચમો ભવ : દેવ અને નારદ માયા માન મનેજ નહિ મમતા, મિથ્યાત મોડી મુનિ, ધરી ધર્મ ધરેલ ધ્યાન ધરથી, ધારેલ દીય ધૂની, છે સંતોષ, સુશીલ સૌમ્ય સમતા, ને શીયળે ચંડના, નીતિ રાય દયા-ક્ષમાધર મુનિ કટિ કરુ વંદના.”
[રાજપદ ક્ષમાના ધારક ઉત્તમ ભાવયુક્ત મુનિ સમાધિમરણને પામી દેવલેક પામ્યા અને અજગર અજ્ઞાનવશ પશુતાને આચરી અધોગતિ પામે.
છઠ્ઠો ભવ : રાજકુમાર અને ભીલ બંને જ પિતાની ગતિને વેગ્ય સુખ-દુઃખયુક્ત દિર્ધાયુષ ભેગવીને વળી પાછા ધરતી પર ઉતરી આવ્યા. મરુભૂતિને જીવ જબૂદ્વીપના પશ્ચિમ વિદેહમાં અશ્વપુર નામના નગરમાં વાવીર્ય રાજાની વિજયારણની કુક્ષીએ પુત્રરત્ન તરીકે જન્મ પામ્યા. વજીનાભિ નામે તે પ્રસિદ્ધિ પાપે. તે બાળકુમાર હોવા છતાં બાળચેષ્ટાને ત્યજી જ્ઞાનયુક્ત વર્તન દ્વારા માતા-પિતાને અતિ આનંદ આપતે હતે. યુવાન વયે સર્વ શિક્ષણ પ્રાપ્ત કરી પુણ્યાગે તે છ ખંડની પૃથ્વીને સ્વામી બન્યું ને વજનાભિ ચક્રવતી પદને પ્રાપ્ત કર્યું હતું. હજાર રાણીઓ અને પુત્રપરિવારથી વિંટળાયેલા એ વાનાભિ ચક્રવતી પદ છતાં આવા ઉદાસીન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com