SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માને વિકાસ આત્મા પોતે જ કરે છે. ગુજરાતનું પાટનગર અમદાવાદ એ સૂરીશ્વરજીના કાર્યક્ષેત્રનું વિશિષ્ટ સ્થલ હતું. અનેક વખત તે એ આ શહેરમાં આવીને રહ્યા હતા અને ત્યાંના જન સંઘ ઉપર તેઓશ્રીને ખૂબ પ્રભાવ હતે. એમ કહી શકાય કે આશરે પચીશ વર્ષ પહેલાંના અમદાવાદના જૈન સંઘનાં સંસ્કારના ઘડતરમાં સ્વ. સૂરીશ્વરજી મહારાજે ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો હતા. તે કાળે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સંચાલનમાં પણ તેઓ ખૂબ રસપૂર્વક માર્ગદર્શન કરાવતા હતા. પૂ. આ. શ્રી વિજય મોહનસૂરિજીને આચાર્યપદ, પૂ. આ. શ્રી વિજ્યકુમુદસૂરિજીને ઉપાધ્યાયપદ, પૂ. પં. શ્રી ધર્મવિજયજી ગણિને ઉપાધ્યાયપદ તેમજ સેંકડો સાધુ-સાધ્વી મહારાજેને વડી દીક્ષાઓ અને અનેક શ્રાવક-શ્રાવિકાઓને દીક્ષા તેમજ સમ્યક્ત્વ સહિત શ્રાવકધર્મ સ્વ. આચાર્યમહારાજે ઉચ્ચરાવેલ છે સ્વર્ગસ્થ સૂરીશ્વરજી સાથે ચેડે પણ પરિચય સાધવાનો પ્રસંગ મળવો, તેમનું મુક્ત હાસ્ય સાંભળવું, બુલંદ અવાજે ગાજતી વાણી સાંભળવી, બાળકના જેવા નિર્દોષ છતાં શાર્દુલ સમા એજસભય ભાવોથી દીયતા મુખકમળનું દર્શન કરવું, એમની જ્ઞાનગંભીર ચર્ચાનું શ્રવણ કરવું, એ જાણે જીવનને એક અપૂર્વ કહા હતા. તેઓશ્રીને ગણધરવાદ તે આજેય સૌ કોઈ સંભારે છે. વલ્લભીપુર ગામના દરે શ્રી દેવદ્ધિ ગણિક્ષમા. શમનું સ્વ સૂરીશ્વરજીએ ઉમું કરેલું પામ વર્ષો સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034759
Book TitleAvantipati Maharaja Vikramaditya
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year1950
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy