SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ વૈરાગ્યના શત્રુ, એ શ્રો વીતરાગના શત્રુ છે. ઉપસંહાર–આ પરમ પવિત્ર મહાપુરૂષનુ જીવન વૃત્તાન્ત એવું અદ્ભુત અને આશ્ચર્યકારક છે કે જે એક એક લેખક તેઓશ્રીના એક એક ગુણ આશ્રયીને જીવન વૃત્તાન્ત લખવા બેસે તે ઘણું ઘણું લખી શકે પરંતુ અહિં આશ્ચર્ય એ છે કે એકજ લેખક જે તેમને વારંવાર વિચાર કરે, તો પણ નવું નવું ખુબ સૂઝે એ એક અનુભવ સિદ્ધ વસ્તુ છે. તેઓશ્રીની અપૂર્વ વ્યાખ્યાન શકિતનું વર્ણન કરવું એટલે કે સૂર્યને દીપક (અગર દર્પણ) બતાવવા તુલ્ય છે. અર્થાત તેઓશ્રીની વકતૃત્વકળા અને ઉપદેશશૈલી એટલી બધી તે રસીક અને જસપૂર્ણ અસરકારક છે જે સાંભળતાં ભલભલા પાષાણુ હૈયાના માનવી ને પણ કરૂણું દષ્ટિએ પગલાવી નાખે છે તે પછી કેમળ દિલના માનવીએ તેમની અમૃત વાણથી પોતાના આત્માને ઉદ્ધાર કરી શકે તેમાં તે કહેવાનું જ શું? જે ચતુર્વિધ સંઘમાં સુવ્યવસ્થા લાંબાકાલથી ચાલી આવે છે તેની વિરુદ્ધ ખેલનારા પોથી પંડિતે રૂપકંટકે અને ધાડપાડુંબારવટીયા જેવા જૈનશાસન રૂપ સામ્રાજ્યને ડોલાવનારા અનેક વમતાગ્રહીઓને પરાસ્ત કરી જૈન સમાજનું અપૂર્વ ગૌરવ પ્રકાશમાન કર્યું છે. પ્રાચીનમાં પ્રાચીન મહાતીર્થોના જિણોદ્ધારનો કાર્ય તેઓશ્રીએ ઉપાડયું તેમાં જે સમાજના ભાગ્યશાલી અનેક દાનવીરો એ લાખો રૂપીયા તેઓશ્રીના અડ્ડ-ઉપદેશથી તે ખાતાઓમાં આપ્યા એના પરિણામે શ્રોકદમ્બગિરિ મહાતીર્થ, શ્રી શેરીયા, શ્રી કાપરડાઇ. શ્રી રાણકપુર અને શ્રી સ્તભરતીથ–ખંભાત વિગેરે એ શુભકાર્યના ક્વલંત પૂરાવાઓ છે. તેથીજ તેઓશ્રીને અનેક બુદ્ધિમાન માનવીઓ“મહાતીર્થોદ્ધારક કે શાસન સમ્રાટ એ મીઠા નામથી પણ સંબોધે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034759
Book TitleAvantipati Maharaja Vikramaditya
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year1950
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy