SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૮] સુધી સંઘનું અને અહિંસાનું કામ પૂરું થયું છે એમ માનવાનું કારણ નથી. આટલું કર્યા સિવાય વચ્ચે કઈ સ્થળે વિશ્રાંતિ લેવાની જરૂર નથી. અણુવ્રતી-સંઘના આજના દશ્યથી આશા બંધાય છે કે ગાંધીજીએ. જે કાર્ય અધૂરું મુક્યું તે હવે પૂરું થશે. આપણી દષ્ટિની મોટી ખામી એ છે કે આપણે સફળતાનું મૂલ્ય ગુણથી નહિ પણ પરિમાણ અને આકારથી જોવા ઈચ્છીએ છીએ ભૌતિક વિચાર શ્રેણિ આ જગાએ લાચાર છે મેં જોયું કે અહીં સંખ્યા પર જેકે ધ્યાન છે, પણ ગુણનું મહત્ત્વ વધારે છે. સભ્ય ઢીલા હોય, તે ચેલાઓની મોટી સંખ્યા પણ શું કામની ? ચુસ્ત અને સમર્પિત છેડા પણ ઘણું ફળ લાવી શકે છે. દુનિયાદારીના કામકાજ અંગે જે પક્ષે રચાય છે, તેમાં આ જ વસ્તુની ભારે ખામી હોય છે. તેમનું લક્ષ્ય સભ્યો કેણ છે? તેના પર નહિ. પણ કેટલા છે, તેના પર રહે છે. બધી સફલતા સંખ્યામાં જ અંકાય. છે. અને ત્યારે સત્યને પણ સંખ્યામાં જ સમજી લેવામાં આવે છે. આજની લેકશાહીનો આધાર લગભગ એવો જ છે. જેના મત વધારે તેની જ બોલબાલા. અને લઘુમતીવાળાએ સદા એવી જ ફિકરમાં હેય. છે કે તેઓ ક્યારે બહુમતીવાળા બની જાય. એટલે તેઓનું કામ વિધા અને ટીકાઓ કરવામાં જ સમાપ્ત થાય છે. આવી લેકશાહી શરૂઆતથી જ અર્થહીન છે. સંખ્યાના બળ પર નભનારી લેકશાહી આજે બહુ સફળ. જણાતી નથી. હજી એ સમયને વાર છે કે જ્યારે તેમાં સંખ્યાના. સ્થાને સત્ય દાખલ થાય અને હાથ ઉંચા કરનારા લેકતંત્રને બદલે હૃદયનું નૈતિક તંત્ર ખડું થાય. તે પિતાના કામકાજમાં ધર્મનું તત્તવ દાખલ કરવાથી બની શકશે. ત્યારે ઓછામ એક માન્ય અને અનાદરણીય નહિ હેય. અને તેમને કઈ ભય રાખવાની જરૂર પણ નહિ હોય. ત્યારે લઘુમતીને પ્રશ્ન એક મૂંઝવનાર કેયડે નહિ હેય તે અવિશ્વસ્ત અને ભયભીત બનવાની હાલતમાં રહેશે નહિ અને બહુમતીવાળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034747
Book TitleAnuvrati Sangh
Original Sutra AuthorN/A
AuthorSatyadev Vidyalankar
PublisherAdarsh Sahitya Sangh
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy