SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ અંચલગચ્છ દિન ૬૪૨ સંગ્રહમાં છે. જુઓ એમનું સૂચિપત્ર ભા. ૧, નં. ૩૦૫૬. આ ગ્રંથમાં કર્તાએ પોતાના ગુરુ મેરૂતુંગસૂરિની કરેલી સ્તુતિ ખાસ ધ્યાન ખેંચે તેવી છે. ધર્મમૂર્તિ રિએ કરેલાં ગ્રંથદ્વારનાં કાર્યો ૧૫૭૯. મલ્લવાદી પ્રણીત “નયચક્ર” પર સિંહસૂરિ વિરચિત વૃત્તિની પ્રત ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી મંત્રી ગોવિંદના “મુંજની ઉપમા યોગ્ય’ પુત્ર પુંજે લખાવી જ્ઞાનભંડારમાં મૂકાવી હતી. જબૂવિજયજી “કાદશારે નયચકમ ”માં જણાવે છે કે આ પ્રતિ જેના ઉપરથી લખવામાં આવી હશે, તે પ્રતિ હજી સુધી ક્યાંય અમારા જેવામાં આવી નથી. એટલે આ જાતની પ્રતિ વિશ્વમાં એક જ છે એમ ધારીએ છીએ.” તત્કાલિન સર્વ દર્શનેની તુલનાત્મક વિચારણા કરતો મૂળ ગ્રંથ ૭૦૦ વર્ષ પહેલાં જ નષ્ટ થઈ ગયો હઈને, ભાવનગરના સંગ્રહમાંથી પ્રાપ્ત થયેલી, ધર્મમૂર્તિ સૂરિના ઉપદેશથી લખાયેલી ઉક્ત પ્રતિ અત્યંત મહત્વપૂર્ણ બને છે. - વિષ્ણુદાસકૃત “સિદ્ધિ વિનિશ્ચય ટીકા”ની કચ્છ-કેડાયના ભંડારની પ્રત પણ ધર્મમૂર્તાિસરિના ઉપદેશથી સં. ૧૯૬૨માં નાગડાગાત્રીય ધનરાજે લખીને જ્ઞાનભંડારમાં મૂકાવેલી, એમ પ્રત–પુષ્પિકા દ્વારા જણાય છે. ઉપયત પ્રત પણ એ અરસામાં જ લખાઈ હશે એમ બને ગ્રંથોની લગભગ એક જ જાતની પુપિકા દ્વારા મનાય છે. આ અરસામાં ધર્મમૂર્તિરિના ઉપદેશથી ગ્રંથોદ્ધારનાં વિશદ કાર્યો થયાં. ગ્રંથ-લેખનની પ્રવૃત્તિ વિક્રમના ૧૭ અને ૧૮ મા સૈકામાં ગ્રંથ-લેખન તથા પ્રત-લેખનની પ્રવૃત્તિ અત્યંત જેશભરી હતી તે અંગે ઘણું નેધી ગયા છીએ. પુણ્યવિજયજીનાં સંગ્રહમાંથી કેટલીક અન્ય બાબતો મળે છે, તેની સંક્ષિપ્ત નેધ નિમ્નક્ત છે – ૧૪૮૭. સં. ૧૬૬૫ ૨. સુ. ૬ શનિવારે ખાનનગરમાં ૫. ક્ષમાકાતિ શિ....કીર્તિગણિએ જિનપ્રભસરિકૃત “અપાપા બૃહકલ્પની પ્રત લખી. તેની પુપિકામાં . જયવતગણિ શિ. કુલકીતિ, શિ. મુનિકીર્તિ વિગેરેને ઉલ્લેખ પણ મળે છે. ૧૪૮૭. સં. ૧૬૭ વદિ ૩ ને શનિવારે દીવમાં ધમતિ સૂરિના રાજ્યમાં પં. રાજકીર્તિ શિ. શ્રુતકીતિ શિ. વિજયકીતિના વાંચનાર્થે સિદ્ધસેનસૂરિ કૃત “કલ્યાણ મંદિર' પર અવચૂરિ લખાઈ - ૧૪૮૭ક. સં. ૧૬૬૯ માં પં. ક્ષમા કીતિ શિ. વા. રાજકીર્તિગણિ, પં. ગુણવર્ધનગથિ શિ. શ્રુતકીતિએ પારકર નગરમાં ઋષિ દયાકીતિ અને હર્ષકીર્તિ સહિત “રત્ન સમુચ્ચય'ની પ્રત લખી. ૧૪૮૭. સં. ૧૬૮૨ માં ભિન્નમાલના સં. સૂરા ભાર્યા કરતુરાઈએ ઉતરાધ્યયનની પ્રત લખાવીને પં. વિશાલાકીર્તિને અર્પણ કરી. ૧૪૯૩૫. સં. ૧૬૨૮ કા. વ. ૫ ને શુક્રવારે ધર્મમૂર્તિસૂરિના રાજ્યમાં મેવાતમંડલના રાક્રદેશ અંતર્ગત બરડાદનગરમાં ઉપા. ભાનુલબ્ધિ શિ. માણિક્યરાજે જીવાભિગમસૂત્રની પ્રત લખી. ૧૫પર એ. સેમમૂર્તિગણિના શિષ્ય ઋષિ રૂડાએ સં. ૧૬૪૨ માં તિજારામાં રહીને લધુ ક્ષેત્રસમાસ પ્રકરણ–બાલાવબોધ'ની પ્રત લખી. ૧૬૮૩૫. સં. ૧૬૯૭ ફા. વ. ૮ ને ગુરુવારે મુનિ કીકાએ તથા વૈરાગ્યસાગરે વીરભદ્રગણિ કૃત ચતુઃ શરણુ” પર લખાયેલ સ્તબકની પ્રતો ખંભાતમાં રહીને લખી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy