SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ (૩૧) શાંતિનાથ સ્તવન : ૧૦ પદ્ય. સં. ૧૬૮૯ માં ચાટ મંડણ પ્રભુને ભેટીને સ્તવના રૂપે જુઓઃ “ભેટો ભાવે હે ભગવંતજી નયર ચાટસ મંડણ ઓ.” પ્રશસ્તિમાં કવિ વર્ણવે છે – સંવત સેલ નિવ્યાસ, પ્રભુ ભેટીઓ ભાયગ વડે; કલ્યાણસાગરસૂરિ ગુરુકું, નિત નવી શોભા વ. ૧૦ (૩૨) પાર્શ્વનાથ સ્તવનઃ ૮ પા. સં. ૧૬૯૨ માં ઉદેપુર સ્થિત પ્રભુની યાત્રા કરી સ્તુતિ કરી. આદિઃ મૂરતિ મોટી સોમ શ્રી સાંભલીઓ પાસ જુગારી; નયણાં લાગી લેમ ઉદયપુર ઉદ્યોત કિયે ધણુઉ. અંતઃ સ્પેશ્યાં પ્રભુના પાય સંવત સૌલે બાણુ સહી; સ્વામી સુષદાઈક સૂરિ કલ્યાણ કહે શ્રી સંઘને. અમરસાગરસૂરિને શ્રમણ સમુદાય ૨૦૧૦ અ. મહે. રત્નસાગરના શિ. ઉપા. મેધસાગરે સં. ૧૬૯૪ માં સુધર્માસ્વામી કૃત સૂત્રતા પર મલ્લાચાર્યાન્તવાસી રત્નમાલ શિ. ‘ચક્રમુનિ રચિત બાલાવબોધની પ્રત અમરકોટમાં રહીને લખી. જુઓ જોધપુરના સંગ્રહનું જિનવિજયજી દ્વારા સંપાદિત સૂચિપત્ર, ભા. ૨, નં. ૧૭૯૫. ૨૦૩૮ અ. અમરચંદ શિ. રૂપચંદે પ્રકૃતિચિત્રણ વિષયક “બારમાસો” તથા સં. ૧૫૦ ના પિષ સદીમાં ‘વિરાગ પચ્ચીશી ”ની રચના કરી, જેની પ્રતો કાંતિસાગરજીના સંગ્રહમાં છે. ૨૦૪૨ અ. વિનયસાગરસૂરિએ “આયુર્વેદ સર્વસાર સંગ્રહ” નામક એક વેદક ગ્રંથ રચ્યો, જેની પ્રત કાંતિસાગરજીના સંગ્રહમાં છે. જુઓ પ્રશસ્તિઃ સંવત્ ૨૭૧૬ વર્ષે શ્રી શ્રી વિધિપ શ્રી भट्टारक श्रीमद् १०८ विनयसागरसूरिजी......तिथौ शुक्रवासरे लिपिकृतं पीतांबरजी ૩યપુરના રાજા () જો તાર સંપૂર્ણ ! ઉપા. જ્ઞાનસાગરના નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં આ મહત્વપૂર્ણ ગ્રંથને કે તેના આચાર્યપદ ધારક કર્તાનો ઉલ્લેખ સુદ્ધાં નથી! આ વૈદક ગ્રંથ વિનયસાગરસૂરિ તથા એમના શિષ્ય પીતાંબરના અનુભૂત પ્રવેગેના સંગ્રહરૂપે છે. તેની વિશિષ્ટતા એ છે કે મસ્તકથી માંડીને પગ સુધીના પ્રત્યેક અંગ પર તેમાં વૈદક પ્રયોગ નિબદ્ધ છે. જે કાષ્ટાદિ ઔષધિઓ સાથે સંબંધિત છે. સંકલન કર્તાએ એ વાતનું ધ્યાન રાખ્યું છે કે પ્રત્યેક રોગ માટે સર્વત્ર ઔષધ પ્રાપ્ય બની રહે અને સંકલિત પ્રયેગે જનસાધારણના વિશેષ ઉપયોગમાં આવી. શો. કાંતિસાગરજી જણાવે છે કે તેઓ છેલ્લા ત્રીસ વર્ષથી આ પ્રતના આધારે કોઈ પણ અસાધ્ય રોગના ઉપચારમાં નિષ્ફળ નીવડ્યા નથી. આ ગ્રંથના આધારે તેઓ એક વૈદક ગ્રંથ પ્રકાશિત કરવાને વિચારે છે. વૈદક જેવા અત્યંત ઉપયોગી શાસ્ત્રમાં અંચલગચ્છીય શ્રમણોએ આગવો ફાળો નોંધાવ્યો છે એટલું જણવવું જ અહીં બસ થશે. ગોરખડી જિનાલય ૨૫૧ અ. સં. ૧૮૮૪ માં જખૌના ટોકરશી કાનજીએ ગોરખડીમાં શ્રી અજિતનાથ જિનાલય બંધાવી આપ્યું. પાસે ઉપાશ્રય પણ છે.* * પૂતિ છપાઈ ગયા બાદ મળેલી માહિતી ગ્રંથની શરૂઆતમાં “અનુપૂતિ'માં લઈ લીધેલ છે, તે પણ જોઈ જવા વિનતિ છે. ૭૮ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy