SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ અચલગચ્છ દિન મેરૂતુંગસૂરિના અજ્ઞાત શિષ્ય ૧૦૦૩ અ. મેતુંગરિના કોઈ અજ્ઞાત શિષ્ય (ઝી જરા તુરારિ ફિલ્થ ફિર) નવતત્ત્વ બાલાવબોધ” ગ્રંથ રચ્યો, જેની સં. ૧૬પર માં શ્રીરામપુરમાં લખાયેલી એક પ્રત જોધપુરના સંગ્રહમાં છે. જુઓ ત્યાંનું જિનવિજયજી દ્વારા સંપાદિત સૂચિપત્ર, ભા. ૨, ગ્રંથ નં. ૪૦૯૧. માણિકયસુંદરસૂરિની કૃતિઓ ૧૦૭૮ અ. માણિક્યસુંદરસૂરિની ૨૦ મી કૃતિ “સિંહસેન કથા ની પ્રત જોધપુરના સંગ્રહમાં ઉપલબ્ધ છે. જુઓ જિનવિજયજીનું સૂચિપત્ર, ભા. ૧, નં. ૧૨૦૫. વસ્ત્રદાન વિષયક આ કૃતિને અંતે કવિ કાવ્ય રચનાને હેતુ આ પ્રમાણે જણાવે છે : सिंहसेनकथां श्रुत्वा विवेकेन मनीषिणा । वस्त्रदानं विधातव्यं साधुभ्यः सर्वदा मुदा ॥ ७८ ॥ माणिक्यसुन्दरः सूरिवस्त्रदानकथामिमाम् । अकार्षीत् सुधियः सर्वे गृहणन्तु गुणशालिनीम् ॥ ७९ ॥ માણિજ્યશેખરસૂરિથી ભિન્ન માણિજ્યકુંજરસૂરિ ૧૧૦૩ અ. આપણે જોયું કે મોહનલાલ દલીચંદ દેશાઈ અને ત્રિપુટી મહારાજ જેવા વિદ્વાનોએ માણિજ્યસુંદરસૂરિ અને ભાણિજ્યશેખરસૂરિને એક જ ગ્રંથકાર ગણુને જે ભૂલ કરેલી એવી જ ભૂલ માણિજ્યશેખરસુરિ અને માણિજ્યકુંજરસૂરિને એક જ ગ્રંથકર્તા માનવામાં થાય. અગાઉ આપણે એવી સંભાવના કરેલી. સમાન નામના આચાર્ય પદ ધારક સાહિત્યકારે એક જ સમયમાં અને એક જ ગચ્છમાં થઈ ગયા હઈને આવા ભ્રાન ઉલ્લેખ સ્વાભાવિક રીતે થાય, પરંતુ વિશેષ પ્રમાણો ઉપલબ્ધ થતાં સત્ય હકીકત પ્રકાશમાં આવી શકે. ૧૧૦૩ બ. માણિજ્યકુંજરસૂરિને પ્રતિષ્ઠાલેખ ધી ગયા. એમની ગુરુપરંપરા આ પ્રમાણે પ્રાપ્ત થાય છે: (૧) જિનચંદ્રસૂરિ (૨) પદ્યદેવસૂરિ (૩) સુમતિસિંઘસૂરિ (૪) અભયદેવસૂરિ (૫) અભયસિંહસૂરિ (૬) ગુણસમુસૂરિ (૭) માણિજ્યકું જરરિ (૮) ગુણરાજસૂરિ (૯) વિજયહંસસૂરિ (૧૦) પુણ્યપ્રભસૂરિ (૧૧) વા. જિનહર્ષગણિ (૧૨) વા. ગુણહર્ષગણિ. આપણે જોયું કે માણિજ્યશેખરસૂરિ મેરૂતુંગસૂરિના શિષ્ય હતા, જ્યારે ઉક્ત પરંપરા અનુસાર માણિજ્યકું જરસૂરિ ગુણસમુદ્રસૂરિના શિષ્ય હતા. બન્ને મંથકારે ભિન્ન થઈ ગયા તેનું આ સબળ પ્રમાણ છે. ૧૧૦૩ ક. રાજહંસ કૃત “દશવૈકાલિક સૂત્ર બાલાવબોધ'ની પ્રત–પુપિકા ઉપરાંત બીજી પણ કેટલીક. પુપિકાઓ એમની પરંપરા વિશે પ્રકાશ પાડે છે. માણિક્યસુંદરસૂરિ કૃત “સિંહસેન કથા'ની પ્રત-પુષ્પિકા આ પ્રમાણે છે : વઢવને વાળા શ્રી માળિયપુસૂતિઃ પૂ . સંવત १५०२ वर्षे आषाढ शुदि ५ सोमे । श्री अञ्चलगच्छे। श्री श्री गुणसमुद्रसूरितत्पट्टालंकार છ માયિકાનૂનrળ તથ રાષણ ઉo ગુપCIs : જુઓ જિનવિજયજીનું જોધપુરના ગ્રંથ ભંડારનું સૂચિપત્ર, રાજસ્થાન પ્રાપ્ય વિદ્યા પ્રતિષ્ઠાન દ્વારા પ્રકાશિત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy