SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલ્યાણસાગરસૂરિ સતાજી, જશાજી અને લાખાજી કલ્યાણસાગરસૂરિના સંપર્કમાં આવ્યા હતા. એમના નામોલ્લેખ તત્કાલીન ગ્રંથ અને શિલાપ્રશસ્તિઓમાંથી સવિશેષ મળી આવે છે. એમના મંત્રીઓ વર્ધમાન–પદ્ધસિંહ શાહ, નગરશેઠ રાયશીશારુ આચાર્યના અનન્ય ભક્ત હતા એ વિશે સપ્રમાણ ઉલ્લેખ કરી ગયા છીએ. રાયશીશાહે રાજકોટમાં પણ કેટલાક ધર્મકાર્યો કર્યા તે પરથી અનુમાન થાય છે કે ત્યાંના ઠાકોર વિભાજી કલ્યાણસાગરસુરિના સમાગમમાં આવ્યા હશે. પ્રતિષ્ઠા લેખે ૧૯૩૬. કલ્યાણસાગરસૂરિના અનેક પ્રતિષ્ઠાલેખો ઉપલબ્ધ થાય છે. એમના ઉપદેશથી દક્ષિણાપથને બાદ કરતાં સમગ્ર ભારતવર્ષમાં હજારો જિનબિંબની પ્રતિષ્ઠાઓ થઈ હતી. ઉપલબ્ધ લેખોને ટુંકસાર અહીં વિવક્ષિત છે : ૧૬૬૭ (૧) વૈશાખ વદિ ૨ ને ગુરુવારે સુધર્માચ્છીય ભટ્ટારિક જયકીર્તિસૂરિના ઉપદેશથી બુરહાન પુરવાસી શ્રી શ્રીમાલ જ્ઞાતીય સોકાકા સુત સે નાપા સુભાર્યા હીરબાઈ ત હમજી ભા. અમરાદે સુ સેની વિમલે વિપરિવાર સહિત શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, અંચલગચ્છશ આચાર્ય કલ્યાણસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરાવી એવો લેખ ભાંડકના જિનાલયની પાષાણુ પ્રતિમા ઉપર છે. ૧૬૭૧ (૧) વૈશાખ સુદી ને ગુરુવારે ? લેઢગેત્રીય કુંવરપાલ અને સેનપાલે આગરામાં બંધાવેલાં શ્રી શ્રેયાંસનાથ જિનમંદિરની પ્રતિષ્ઠા આચાર્યના ઉપદેશથી થઈ શ્રી વીર પ્રભુનાં જિનાલયની પ્રતિષ્ઠા પણ એ વખતે જ થઈ પરંતુ તેને લેખ ઉપલબ્ધ થતો નથી. (૨) વૈશાખ સુદી ૩ ને શનિવારે ઉક્ત પ્રતિષ્ઠાને દિવસે જ ઉક્ત બને બધાએ સાડાચારસો જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. એ પ્રસંગના કેટલાક લેખો માટે જુઓ. “અંચલગચ્છીય લેખસંગ્રહ.” (૩) લખનૌનાં શ્રી શાંતિનાથ જિનાલયના એ પ્રસંગના લેખમાં શ્રી શાહજહાં વિજય રાજે એમ જણાવાયું છે. સં. ૧૬૭૧ માં આગરાના રહેવાસી ઓશવાળ જ્ઞાતીય લોઢાગોત્રીય અગ્રણી વંશીય સં. ઋષભદાસના પુત્રો સંઘાધિપ કુંવરપાલ અને સોનપાલે શ્રી અનંતનાથબિંબની પ્રતિષ્ઠા કરી. (૪) પટણાનાં વિશાલ જિનમંદિરમાં મૂલનાયકની પાષણ મૂર્તિ પર પણ એવો જ લેખ છે. સં. ઋષભદાસ ભાર્યા રેખશ્રીના પૌત્રો સંઘરાજ, રૂપચંદ, ચતુર્ભુજ, ધનપાલને તેમાં ઉલ્લેખ છે. એ જિનાલયની અન્ય પાષણમૂતિઓ પર પણ એવા જ લે છે. શ્રી પદ્મપ્રભુનાં જિનબિંબ પર વિશેષમાં સં. ઋષભદાસના બંધુ પ્રેમના પૌત્ર સંગને સં. સાંજે એમ ઉલેખ છે. શ્રી વાસુપૂ. યબિંબ પર પ્રેમન, તેની ભાય શક્ઝાદે તથા તેમના પુત્રો ખેતસી અને નેતસીનો ઉલ્લેખ છે. શ્રી વિમલનાથબિંબ પર પ્રેમનાં કુટુંબના એજ નામો ઉપરાંત સીની ભાર્યા ભક્તાદેના નામને પણ ઉલ્લેખ છે. શ્રી પાર્શ્વબિંબ પર જણાવાયું છે કે સઘપતિ કુરપાલ અને સોનપાલે પિતાની માતાના પુણ્યાર્થી એ બિંબ ભરાવ્યું. (૫) અયોધ્યામાં શ્રી અનંતનાથ જિનાલયની પાષાણ પ્રતિમા પર આવા મતલબને લેખ છે : સં. ૧૬૭ ના વૈશાખ સુદિ ૩ ને શનિવારે રોહિણી નક્ષત્રમાં આગરાવાસી, ઉપકેશ જ્ઞાતીય, લેઢાગોત્રીય, ગાણીવંશીય સા રાજપાલ ભાર્યા રાજશ્રી. તેમના પુત્ર સં. ઋષભદાસ ભાર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy