SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ અંચલગચ્છ દિગ્દર્શન ૧૬૦૮. ડો. આર. જી. ભાંડારકરના સંસ્કૃત હસ્તપ્રતવિષયક ચતુર્થ અહેવાલ, સને ૧૮૮૩-૮૪, પૃ. ૩૧૮-૨૨ માં આપેલી અનાન કર્તક અંચલગચ્છીય પદાવલીમાં કલ્યાણસાગરસૂરિને ૬૫ મા પધર દર્શાવાયા છે અને તેમને અનેક વિશેષણ, બિરુદથી નવાજ્યા છે. આચાર્યની વિદ્યમાનતામાં જ એ પદાવલી રચાઈ હતી. ૧૬ ૦૯. વાચક લાવણ્યચંદ્ર “વીરવંશાનુક્રમ' નામક અંચલગચ્છીય પટ્ટાવલીમાં કલ્યાણસાગરસૂરિ વિશે ઘણું જ સુંદર વર્ણન આપ્યું છે. તેઓ જણાવે છે – સૈ: સિT વીર છું ઘર વિના શુષ શાસ્ત્ર સારા વિજ્ઞાા लाखाख्य प्रौढ भोजप्रभृति नरपति बीतवंद्यां द्वि पद्माः ॥ जाता यद्धर्म वाण्या प्रतिपुरममिता संघचैत्य प्रतिष्ठा । ते कल्याणाब्धि सूरीश्वर गणगुरवो जज्ञिरे धैर्य धुर्याः ॥ ४० ॥ પ્રકીર્ણ પ્રસંગે ૧૬૧૦. ઓસવાળ માહ્યાવંશીય શાહ ખીમ સં. ૧૬૭ર માં કચ્છના બિદડામાં થઈ ગયા, જેની પત્ની ખીમીએ ૧૫૦૦૦ કોરી ખરચીને બિદડામાં પશ્ચિમ તરફ એક વાવ બંધાવી. આ વંશના વડાલામાં થયેલા ખેતસી, પેથા અને દેપાલ નામના ત્રણ ભાઈઓએ ૬૦૦૦૦ કેરી ખરચીને સં. ૧૬૬૬ માં ઘણું પુણ્યકાર્યો કર્યા. દેસરે ગુંદાલામાં તળાવ બંધાવ્યું. સં. ૧૫૯૬ માં માણેકે પીછણમાં તળાવ બંધાવ્યું. જેસંગે પથદડિયામાં સં.૧૫૮૫ માં વાવ કરાવી. સં. ૧૫૯૦ માં વીરે થયો. તે અપુત્ર હોવાથી તેની પત્નીએ યક્ષનું આરાધન કર્યું અને તેના વરદાનથી તેને છ પુત્રો થયા એવો ઉલ્લેખ ભદગ્રંથમાંથી મળે છે. એ શ્વે ભાઈઓને પરિવાર વસતરી, ખાખર, હાલા તથા ઝાંખર નામના કરછના ગામમાં વસે છે. સં. ૧૯૬૭માં ખાખરમાં થયેલા માંણે જિનમંદિરની પ્રતિષ્ઠા કરાવી તથા ઘણું દ્રવ્ય દાનમાં દીધું. ૧૬ ૧૧. ઓશવાળ દેઢિયાગોત્રીય મહિયા સં. ૧૬૭૫ માં ડબાસંગમાં વસતા હતા. તેને કાથડ પ્રમુખ ચાર પુત્રો હતા. તેમણે શત્રુંજયની કુટુંબ સહિત યાત્રા કરી, ઘણું દ્રવ્ય ધર્મકાર્યોમાં ખરચ્યું. ઉજમણું કરી ગામની ઉત્તર દિશામાં એક વાવ પણ બંધાવી. ૧૬૧૨. ઓશવાળ આલગોત્રી ઈશ્વર નામના શ્રેષ્ઠી સં. ૧૬૮૭ માં ખેરવામાં થઈ ગયા. તેમણે ઘણું દ્રવ્ય ખરચીને અનેક ધર્મકાર્યો કર્યા હતાં. ૧૬૧૩. સં. ૧૬૮૭ માં ભયંકર દુષ્કાળ પડે. આ દુષ્કાળના અનેક ઉલ્લેખ મળે છે. સમયસુંદરે આ દુષ્કાળનું હૃદયદ્રાવક વર્ણન “ચંપક શ્રેષ્ઠી ચેપઈમાં કર્યું છે. રાજકીય ઈતિહાસમાંથી પણ એ અંગે ઘણું કહી શકાય છે. આ દુષ્કાળ પ્રસંગે અંચલગચ્છીય શ્રેષ્ઠીઓએ પિતાની રીતે દુષ્કાળ પીડિતને ઘણું સહાય કરી. નાગડોત્રીય રાજસીએ એ વખતે અસત્ર ખેલીને મહત્વપૂર્ણ સેવાઓ બજાવી છે. ૧૬૧૪. ભિન્નમાલથી પ્રાપ્ત થતાં ભદગ્રંથ દ્વારા જાણી શકાય છે કે અંચલગચ્છીય શ્રાવક વરગજીએ સં. ૧૬૫૫ માં બીજાર નગરથી ગોડીજીને સંઘ કાઢેલે. એ વહીમાં વલ્લભીશાખીય પુણ્યતિલકસૂરિજીએ બેણપમાં સં. ૧૨૨૧ માં ડેડિયા પરમાર રાવત નગરાજના પુત્ર સેમલને પ્રતિબોધ આપીને જેનધામ બનાવ્યાની હકીકત પણ છે. તેમાં જણાવાયું છે કે એમના વહાણો દરિયામાં અટકી ગયા હતાં. આચાર્યો તેને પાછા લાવી આપ્યાં. એટલે તેઓ વહાણી ગોત્રથી પ્રસિદ્ધ થયા. આ ગાત્ર વિશે ઉલ્લેખ કરી ગયા છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy