SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ . શ્રી અધ્યાત્મ મહાવીર, અને સાંજ એ બે સમય તે અવશ્ય ધર્મધ્યાન કરવું જ જોઈએ, એ સમયમાં આત્મધ્યાન, ભજન સિવાય બીજા કાર્યોમાં લક્ષ નહિ આપવું જોઈએ, કારણ કે આ બ્રહ્માંડમાં જે વાતાવરણ ભરેલું છે તેમાં તે સમયે સમતલપણું આવતાં તેની અસર-તે મહાપ્રાણની અસર પિંડરૂપ બ્રહ્માંડના દરેક પિંડમાં રહેલા પ્રાણ ઉપર થાય છે તેથી તે સમય સુષુમણાને સમય કહેવાય છે. શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે કેસેકહ સેહ સેહ સેહ સેહ સેહે રહના લગીરી–સેકહ ઇંગહા,પિંગલા સુખમના સાધકે, અરુણ પ્રતિથી પ્રેમ લગી; વકનાલ ખટચક ભેદો, દશમ દ્વાર શુભ જોતિ જગીરી-સેડફં. ૧ ખુલત કપાટ ઘાટ નિજ પાયે, જનમ જરા ભયભીતિ ભગીરી, કાચ શકલ દેચિંતામણિ, કુમતા કુટિલ સહજ ઠગીરી-સેડફં.૨ વ્યાપક સકલ સ્વરૂપ લખે ઈમ, જિમ નભમેં મગ લહત ખગીરી, ચિદાનંદઆનંદ મૂરતિ, નિરખ પ્રેમભર બુદ્ધિથગીરી-સહ ૩ એ સમયમાં ધર્મયાન કરવાથી મન ઘણુ તીવ્ર ગતિથી એકાગ્ર થવા માંડે છે અને છેવટે આત્મ-સાક્ષાત્કાર થાય છે. તન્મયપણું થાય તે જ કાળ પણ ધ્યાનીને યોગ્ય છે. પરંતુ ધ્યાનીને દિવસ, રાત્રિ કે ક્ષણદિને કઈ પણ નિયમ નથી. એવી જ રીતે ધ્યાનશતક, માનદીપિકાના કર્તા કહે છે, પરંતુ યોગદિવાકર, યોગદીપકના લેખક કહે છે કે “ પ્રાતઃકાળ અને સંધ્યાકાળ એ બે સમયે પ્રાણાયામ કરવાને માટે બહુ જ સારા છે. સૂર્યના ઉદય તથા અસ્ત સમયે સૃષ્ટિમાં સર્વત્ર પ્રાયઃ શાંતતા હેય છે. એ અતિતાની અસર આપણા શરીર ઉપર થાય છે. આ સંબંધમાં સગત શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે એકાંત, પ્રભાત, પ્રથમ પ્રહર એ સેવ્ય ભકિત માટે યોગ્ય કાળ છે; સ્વરૂપચિંતનભક્તિ તે સર્વ કાળે સેવ્ય છે. ૧ શકલ કકડે. ૨ થગીરી–સ્થિર થઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034729
Book TitleAdhyatma Mahavir tatha Paryushan Kshamapana
Original Sutra AuthorN/A
AuthorHarilal Jivrajbhai Bhayani
PublisherHarilal Jivrajbhai Bhayani
Publication Year1933
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy