SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શ્રી ભગવતી સૂત્રમાં કહ્યુ છે કે ઉવએગ લકખણેણુ' જીવે ।’ ઉપયાગ એ આત્માનું મુખ્ય લક્ષણ છે. જીવનું ઉપયેાગ લક્ષણ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે, જીવા ઉવએગ લકખણા ।' જીવનું ઉપયોગ લક્ષણ છે. શ્રી તત્ત્વાર્થસૂત્રના બીજા અધ્યાયમાં આઠમુ સૂત્ર છે. ઉપયાગો લક્ષણમ , ઉપયાગ શબ્દ જ્ઞાન અને દર્શનના સંગ્રાહક છે; ચેતનાના ધરૂપ વ્યાપારને ઉપયોગ કહે છે. ઉપયાગના એ પ્રકાર છે. ૧. સાકાર ઉપયોગ એટલે જે ઉપયોગ પદાર્થના વિશેષ ધર્મ-જાતિ, ગુણ, ક્રિયા, આદિના આધ કરાવે છે તે. ર. અનાકાર ઉપયોગ એટલે જે ઉપયોગ પદાર્થની સામાન્ય સત્તાના મેધ કરાવે છે તે. આત્મામાં અનંત ગુણ પર્યાય છે; પરંતુ તે બધામાં ઉપયોગ જ મુખ્ય અને અસાધારણ છે. તે સ્વ-પર પ્રકાશક હાવાથી પોતાના તથા ખીજા દ્રવ્યગુણ પર્યાયાનું જ્ઞાન કરાવી શકે છે. સુખદુઃખના અનુભવ કરવા, અસ્તિત્વ નાસ્તિત્વ જાણવુ. આ સર્વે ઉપયાગનાં જ કાર્યો છે. જડ પદાર્થોમાં ઉપયોગ હાતા નથી; કારણ કે જડ પદાર્થમાં ચૈતન્ય શકિતના અભાવ છે. આત્માને જ્ઞાનસ્વરૂપ કહ્યો છે; તેના અર્થ એવા નથી કે જ્ઞાન સિવાય આત્મામાં અન્ય ધર્મ નથી. આત્મામાં દર્શન પણ છે, આનદ પણ છે, અનત વી પણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034721
Book TitleAatmsiddhi
Original Sutra AuthorN/A
AuthorKiranbhai
PublisherSiddhgiri Bhaktivihar
Publication Year1976
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy