SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ શ્રી વર્ધમાન તપે મહમ્ય. લગ્નમહોત્સવે એક સાથે જ ઉજવવામાં આવ્યા. ત્યારપછી તે બંને મિત્રે-નરદેવ અને ચંદન પોતપોતાની સિયા સહિત પિતાના નગરમાં આવ્યા અને નવવધૂની સાથે શુંગારસુખના સંપાદક થયા. શ્રી ચંદનને પુણ્યપ્રભાવ, ચંદનને પરણ્યા પછી છ માસમાં જ દ્રવ્યનું ઉપાર્જન કરવા માટે પરદેશ જવાને વિચાર થયે, કારણ કે કેઈની સેવાચાકરી કરીને ધને પાર્જન કરવાનું તેને ગમતું ન હતું. પોતાના પુણ્યદયની કસોટી કરવા માટે પાંચ વહાણ લઈને સમુદ્રમા તેણે પરદેશગમનનું શ્રીગણેશ કર્યું. અનુક્રમે કેટલેક દિવસે રત્નાદ્વીપમાં જઈને અનેક પ્રકારના વ્યાપાર કરી પિતાની કુશળતા અને પુણ્યના પ્રભાવથી અનર્ગલ લક્ષમી મેળવી. ત્યાંથી કેણુપપુર જવા માટે સમુદ્રમા જ પ્રયાણ કર્યું. દેવગે દરિયામાં તેફાન થવાથી જે વહાણમાં ચંદન મુસાફરી કરતા હતા તે ભાંગીને ડૂબી ગયું. કર્મવશાત્ ચંદનના હાથમાં એક પાટિયું આવી જવાથી તે સમુદ્રમાં તણાવા લાગ્યું. બીજાં ચાર વહાણે પણ તેફાની દરીયામાં ડૂબી ગયાં. આયુષ્યના બળથી ભયંકર વિપત્તિમાં સપડાયેલ ચંદન આખરે બાર વર્ષે દરિયામાંથી કેણુપપુરને કાંઠે નીકળે. ચંદનની સાથેના બીજા એક માણસના હાથમાં પણ પાટિયું આવી જવાથી તે દેવગે જલદી સમુદ્રને કાંઠે જઈ પહોંચે હતું. તેણે બહણ નગરમાં જઈને ચંદનના પિતાશ્રીને સમુદ્રના તેકાનની બધી હકીકત કહી સંભળાવી. તે સાંભળીને શકાતુર થયેલા વર્ધનમંત્રીએ પિતાના પુત્રની શોધખેાળ માટે દરિયામાં વહાણે મુકાવ્યાં. સાત વર્ષ સુધી ઘણી તપાસ કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy