SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવમાન તપ મહાભ્ય રેધક એટલે સંવરસ્વરૂપ માનીએ તે અનાદિકાળના એકઠા કરેલા કર્મકચરાને કાઢશે કેણ, એક કેવળી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અંતમુહૂર્તમાં મેક્ષે પહોંચી જાય અને બીજા કેવળીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી મેક્ષમાં જતા પહેલાં દેશાણા ક્રેડપૂર્વ સુધી ચારિત્રનું પાલન કરવું પડે, એટલા મોટા તફાવતને મમ શો સમજ ?–આ બધા પ્રનોના સમાધાનમાં જણાવવાનું એ છે કે-પહેલા તીર્થકરને ૧૦૦૦ વર્ષ અને છેલ્લા તીર્થકરને સાડાબાર વર્ષ તપસ્યા કર્યા પછી જ કેવળજ્ઞાન મળ્યું તેથી તપને ચોથા સાધન તરીકે સ્વીકાર્યા સિવાય ચાલે એમ નથી, છતાં દશપૂર્વધર વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજ ત્રણ સાધન જણાવે છે તે તેમાંના ત્રીજા સાધનમાં આ તપને સમાવેશ કરી દીધેલ જ છે, અર્થાત્ જ્યાં ચાર સાધન જણાવ્યાં હોય ત્યાં સંવરરૂપ ચારિત્ર અને નિર્જ રારૂ૫ તપ એમ અલગ અલગ ગણાય છે અને જ્યાં ત્રણ સાધન જણાવ્યાં હોય ત્યાં સંવર અને નિર્જરારૂપ ચારિત્ર એક ગણાય છે. મોક્ષમાં પહોંચનાર મહાત્માઓને પરિણામિક કાર્ય તરીકે અનંતજ્ઞાન-દર્શન–ચારિત્ર જ રહેવાનાં છે; તેથી ત્રણ કહેવામાં પણ વધે નથી. પ્રાતઃસ્મરણીય ભગવાન શ્રી ભદ્રબાહસ્વામીજીએ કરેલી રિચારિત્રપદની નિક્તિને ધ્યાનમાં લેતાં ચારિત્ર અને તપ જુદાં નથી એમ જણાય છે. એ નિર્યુક્તિમાં કથન કરેલા ભાવને પૂ. ઉપાધ્યાયજી મહારાજ પોતાની ચારિત્રપદની પૂજામાં આ પ્રમાણે જણાવે છે કે ચય તે આઠ કર્મને સંચય, (ચિત્ત) રિક્ત કરે છે તેહ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy