SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવમાન તપે મહાભ્ય. તપ કરતું હતું, પરંતુ તે જ આત્મા સંસારની સાહ્યબી આજે વધવા માંડી એટલે ભૂલવા માંડ્યો અર્થાત પૂર્વની ધર્મકરણીઓ એછે કરતે ગયે. ત્યારે ધર્મના વાસ્તવિક પ્રેમીને દયા આવ્યા વિના રહેતી નથી. કહેવું પડે છે કે આ બિચારાઓને ધર્મની વાસ્તવિક કિંમતની સમજણ નથી અને વાસ્તવિક કિંમતની પ્રતિતિ પણ થઈ નથી. જગના સર્વવિનાશી પદાર્થોની કિંમત કાચ જેવી અને તત્વત્રિયીની કિંમત અમૂલ્ય રત્ન જેવી સમજાશે ત્યારે જ વાસ્તવિક પ્રતિતિ થઈ સમજવી. જગતભરના સઘલા વિનાશી પદાર્થોમાં અધમતાને અવલોકચા વગર, ધર્મ, ધર્મ અને ધર્મના સાધનની ઉત્તમતા સમજ્યા વગર સાચી પ્રતિતિ આવવી એ સેંકડે કેષ દૂર છે. આવી પ્રતિતિ આવ્યા પછી રૂચિના આવિર્ભાવ થાય છે. પેટને મલ દૂર થયા પછી જેમ સ્વાભાવિક જઠરાગ્નિ ખીલે છે અને કકડીને ભૂખ લાગે છે, ખાદ્ય ખેરાક ખાય છે અને ખાધા સાથે પચાવે છે. તેવી રીતે વિનાશી પદાર્થોને મોહરૂપી કચરો દૂર થશે ત્યારે આ આત્માની હાલત પણ તેવીજ થશે. અર્થાત્ વિનાશી પદાર્થ દેખતાંની સાથે જે મુંઝવણ થાય છે અને કિંમત વગરની ચીજમાં કિંમત સમજાય છે તે મેલ દૂર થશે એટલે તુરત સંવર- નિરાના અનુષ્ઠાન કરવાં ગમશે, કરનારાઓ અને કરાવનારાઓ પ્રત્યે બહુમાન છૂટશે. પ્રતિતિની પરીક્ષામાં પૂરેપૂરે ઉત્તીર્ણ થયા વગરને જીવ રૂચિપદમાં પ્રવેશી શકતો જ નથી, માટે પ્રતિતિની પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની અનિવાર્ય જરૂર છે. રૂચિપદમાં પ્રવેશનારાઓને. ૧ શ્રદ્ધાની અનિવાર્ય જરૂર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy