SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ માનવ જીવનની મેજ કયારે મળે? વાણુ ગણ્યા નથી, માથામાં રહેલા બાલ કાળા કેટલા અને ધળા કેટલા તેનો હિસાબ કોઈએ રાખ્યો નથી અને રાખતા પણ નથી, ઘર બંધાવાતું હોય તે અવસરે આવેલા ગધેડા પર રેતીની ગુણીઓ ઘર આંગણે ઠલવાય છે અને તેમાંથી રેતીના કણીઆ કોઈએ ગણ્યા નથી અને ગણતું નથી, નળમાંથી નીકળતાં પાણીના ટીપે ટીપાની નેંધ કેઈએ રાખી નથી અને રાખતું નથી, આથી એ વાત સિદ્ધ થઈ છે કે નિરુપયોગી કાર્યોમાં નકામો ટાઈમ બરબાદ કરવા દુનિયા પણ તૈયાર નથી તે પછી નિરુપયોગી કાર્યમાં મનુષ્ય જીવન એળે કેમ ગુમાવવું? એ અટપટા પ્રશ્નને ઉકેલ બુદ્ધિમાને વિવેકપૂર્વક કરવા જેવો છે. પ્રશ્નનું સમાધાન બુદ્ધિને સદુપયેાગ કરીને કરવામાં આવે. અને જે સમાધાનને સુંદર નિર્ણય કરવામાં ન આવે તો નિરુપયેગી કાર્યમાં બાલ્યકાળ, યુવાવસ્થાને કાળ અને લગભગ વૃદ્ધાવસ્થાને કાળ નિરર્થક જાય છે એટલું જ નહિ પણ અનર્થકારી રીતે એ પસાર થાય છે. માનવ જીવનમાં નિરુપયોગી અને ઉપયોગી કાર્યની વહેચણ થઈ જાય અને પછી જીવન જીવાય તે જ માનવજીવનની એજ અને લાભ મળી શકે તેમ છે. અન્યથા નહિજ મળે, એ નાન સત્ય સદા સ્વીકારવા લાયક છે. ચક્ષુ મલ્યાં છતાં બરોબર ઉપગ કરનારા ઠોકરે ચડતા નથી, અને ઊંધું ઘાલી ચાલનારા ટેકરે ચઢે છે અને દુઃખી થાય છે. દેખતે માણસ કાંટા ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy