SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વર્ધમાન તપે મહાભ્ય હિંસાના પાપને સમજતાં નથી, છતાં નિર્દોષ પ્રાણુઓના કચ્ચરઘાણ કાઢી નાંખે છે, તે તમારા હિસાબે તેમને પાપ થવાનું નહિં. એક માણસે ખૂન કર્યું, ખૂનની સજા ફાંસી છે. એ જ્ઞાન નહિં હોય તે તે ખૂનીને ફાંસીની સજા થશે નહિ. આજના ન્યાયાધીશો, ન્યાયમંદિર અને ન્યાયના સિદ્ધાંત પણું જ્ઞાન ક્રિયાને આવે અવળે, નિરર્થક અને અનર્થક સંબંધ સ્વીકારવા તૈયાર નથી તે પછી તમે જ્ઞાન વગર ક્રિયાનું ફલા મળવાનું નથી એ લાવ્યા કયાંથી? તે તે પ્રસંગમાં તમને જ્ઞાન હોય કે ન હોય એને વિચાર કર્યા વગર ગુન્હાને બદલો આપી દેવામાં આવે છે અને તેમ ન હોય તો અજ્ઞાની હેવાને ઢોંગ કરીને આજે સેંકડે ગુન્હેગાર ગુન્હામાંથી મુક્ત થઈ જાય તેમ તે બનતું નથી તેવી રીતે જ ધાર્મિક બાબતમાં સમજ વગરની ક્રિયા ફલ દઈ દે તે માનવામાં લેશભર શંકાને સ્થાન જ નથી. સમજદારે સમજને ભાડે દઈ શકે છે, પરંતુ કિયા કે વર્તન ભાડે દેવાતા નથી અને મલતા પણ નથી. એક કેસમાં પૂરા ફસાય પછી તે કેસ જીતવા યોગ્ય કાયદા-કાનૂનનું જ્ઞાન ન હોય તે વકીલ બેરીસ્ટર અને ધારાશાસ્ત્રીઓ પાસેથી ફી મહેનતાણા દ્વારા તે જ્ઞાન ભાડે મળે છે, પરંતુ કેસ લડવા સંબંધીની બધી ક્રિયા અણસમજુ ફરિયાદી પ્રતિવાદી અને સાક્ષીઓએ કરવી જ પડે છે. દરદીઓને દરદનું જ્ઞાન હેતું નથી છતાં વૈદ્ય દાકતર પાસેથી સલાહ ભાડે મળે છે. તે સલાહ મુજબ વર્તવામાં આવે તે અણસમજુ અસંખ્ય દરદીઓ સુખી થાય. એક નાનું દૃષ્ટાંત ધ્યાનમાં લેવા જેવું છે. એક કંજુસશિરોમણિ શેઠ હતા. “ચમડી તૂટે પણ દમડી ન છૂટે” તે તેમને સ્વભાવ હતે. તે શેઠને એક હઠીલું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy