________________
( ર૩૮ ). मारके मरैया सुविचारके करैया, मुखढारके ढरैया गुनसोसों बहन है। रूपके रिजैया, सबनके समुफ़ैया, सबहीके बघुनैया सबके कुबोल सहे है। वामके वमैया मुःखदामके दमैया,
ऐसे रामके रमैया नर ज्ञानी जीव कहे है." ॥१॥ પ્રવાસી–વાહ, વિલાસવાહ! આવા જ્ઞાનીજીવનીસ્થિતિજ આ જગતમાં કૃતાર્થ છે. મહાશય, તેની વ્યાખ્યા સ્પષ્ટ છે, તથાપિ આપની વાણીને સાંભળવાની ઇચ્છાથી તે વ્યાખ્યા કરવાની મારી પ્રાર્થના છે.
જ્ઞાનવિલાસ–ભદ્ર, સાંભળ
ધીરજને ધારણ કરનાર, સંસાર સાગરને તરનાર, ભવની ભીડને હરનાર, મેટા શૂરવીરની જેમ પિતાને સહાય આપવામાં ઉમં. ગી રહેનાર, કદર્પને મારનાર, શુભ વિચાર વિચારનાર, સુખ સમાબિના ઢાળામાં ઢળનાર, આત્માના ગુણના અંશમાં મગ્ન રહેનાર, આત્મરૂપને રીઝવનાર સર્વ નયના સારને સમજનાર, નિરહંકારીપણે સર્વથી લધુ થઈ વર્તનાર, ક્ષમાવંત થઈ સર્વના દુર્વચન સહન કરનાર, વનિતાના સંગને છોડનાર, અને દુ:ખની પરંપરાને દમનાર એવા આત્મારામને વિષે રમનારે મનુષ્ય જ્ઞાનજીવ કહેવાય છે.”
મિત્ર પ્રવાસી, એ જ્ઞાનીજીવ શુદ્ધ સમકિતી થાય છે. તેના માં વીતરાગપણું પ્રકાશી નીકળે છે એટલે પછી તેનામાં પ્રસાદની ક્રિયા પ્રવર્તી શકતી નથી; તે નિર્વિકલ્પ પદને અનુભવ કરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com