________________
હતા. તેઓ સગીર વયના બાળકના ભેળપણને ગેરલાભ લઈ તેમને ઉતાવળથી અંડી નાંખવામાં અધર્મ સમજતા હતા.
તેઓ, પરીક્ષાપૂર્વક યોગ્યતા જણાતાં દીક્ષા આપવાના શાસ્ત્રાદેશને અનુસરનારા હતા.
વૃદ્ધિચન્દ્રજી મહારાજ મૂલચંદને પરીક્ષાની કસોટીએ કસે છે. મૂલચન્દ તેમાં આબાદ પસાર થાય છે. એ પછી તેને દીક્ષા અપાય છે. ગણેશ વર્ષની ઉમ્મરે તે દીક્ષા ગ્રહણ કરે છે. “મૂલચંદ” મટી હવે તે “ધર્મવિજય બને છે.
ધર્મવિજય ગુરૂભક્તિમાં ઘણે રસ લે છે. ચારિત્રના શુદ્ધ આરાધન સાથે જ્ઞાનમય જીવનમાં આગળ વધે છે. ધીમે ધીમે આગળ વધતાં મહાન વિકાસના પરિણામે “ધર્મવિજ્યમાંથી વિજયધર્મ, સૂરિ બને છે. હવે વિજયધર્મસૂરિને જોઈએ.
વિજયધર્મસૂરિ એટલે અકર્મયતાને ઉa ફેંકી દેનાર સાચે વીર. વિજયધર્મસૂરિ એટલે ઉત્સાહની જાજવલ્યમાન મૂતિ. વિજયધર્મસૂરિ એટલે દઢતા અને ધીરજને પહાડ. અને વિજયધર્મસૂરિ એટલે ચારિત્રનું જળહળતું ભામંડલ. તેમની ચશપતાકા ગુજરાત કે કાઠીયાવાડ, મારવાડ કે મેવાડ, માળવા કે દક્ષિણ, પૂ. પી કે બેંગાલ, તમામ સ્થળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com