SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ GK બિરાજેલા હતા, ત્યાં આવ્યા, અને પ્રભુશ્રી ને ત્રણ વાર પ્રદક્ષિણા ને વંદા નમસ્કાર કરી પ્રભુની પયુ પાસના કરવા લાગ્યા. મેષકુમાર ભગવાન મહાવીરદેવની પાસે આવી ઊભા, કે પ્રભુશ્રી ખેલ્યા, હું મેધ ! આજ મયધ્યરાત્રિને વિષે શ્રમણ નિર્ગથાની વાંચના અને પ્રચ્છનાને માટે થએલી જા આવથી તને ખીલકુલ ઉંધ આવી નથી, તેથી તને એવા અધ્યવસાય ઉત્પન્ન થયા, કે જ્યારે હું ગૃહવાસમાં હતા, ત્યારે શ્રમણ નિર્ગથ સાધુએ મારા આદર કરતા, મને સારા જાણુતા, મારી સાથે સારા વાર્તાલાપ કરતા. પણ જ્યારથી મેં સંસારને ત્યાગ કરી મુંડ થઈ ને અનગારપણું અંગીકાર કર્યું છે, ત્યારથી આ સાધુએ મારા આદર કરતા નથી, વગેરે મેધકુમારે રાત્રે જે જે વિચારો કર્યાં હતા, તે સ` પ્રભુશ્રીએ કહ્યા, અને પછી પૂછ્યું કે આ વાત ખરી છે તે ! અને પાછા ઘેર જવાના વિચારથીજ મારી પાસે આવીને ઉભા છેને? મેધકુમારે નીચુ જોઇ હારમાં ઉત્તર આપ્યા. પ્રકરણ આઠમુ પછી ભગવાન મહાવીરદેવે મેલકુમારને કહ્યું, હે મેધ! અત્યારે તારાથી આટલા પરીસહ સહન ન થઇ શયે? પણ આથી વધારે પરીસહ આગલા ભવમાં તે તારી ખુશીથી સહન કર્યો છે, તે તેના પ્રતાપેજ તું આ મનુષ્ય ભવ અને આમેટા રાજકુળની ઋધિ તેમજ શરીરનું નિરાગીપણું પામ્યા છું. તારા પૂર્વે ભવની વાત સાંભળ. તું આ ભવની પહેલાં થએલા ત્રીજા ભવમાં વૈતાઢય પર્વતની તળેટીમાં ભીલાએ ઠરાવેલા સુમેરૂપ્રભુ નામના હાથી હતા. સર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034556
Book TitleMeghkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorNagindas Hathisingh Shah
PublisherNagindas Hathisingh Shah
Publication Year1933
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy