SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પ* અને ભગવાન પાસે આવીને જમણી બાજુથી આરંભી ભગવાન મહાવીર દેવને ત્રણ પ્રદક્ષિણા દેઈ સ્તુતિરૂપ વંદન કર્યું. અને શરીર વડે નમસ્કાર ક્ય. વંદણ મમસ્કાર કરી શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવની બહુ પાસે નહિ, તેમ ઘણું દૂર નહિ, એવા ગ્ય સ્થાનકે બેઠાઅને ભગવાનને ઉપદેશ સાંભળવાને ઈન્ત અથવા સેવા કરતે મસ્તક નમાવી બે હાથ જોડી વિનયવડે પ્રભુની સેવા કરવા લાગ્યો. ભગવાન શ્રી મહાવીર દેવે મોટી પ્રર્ષદામાં વિચિત્ર પ્રકારને મૃતધર્મ અને ચારિત્રધર્મ મેઘકુમારને સંભળાવ્યું. તેમાં જે કર્મથી કેવી રીતે સંકિલષ્ટ પરિણામવાળા થાય છે, તે સર્વ ધર્મકથા વિસ્તારથી કહી સંભળાવી. પ્રભુની અમોઘ ધારારૂપી દેશના સાંભળી પ્રદા પાછી વળી પિતાપિતાને સ્થળે ગઈ ત્યાર પછી મેઘ કુમારે શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવ પાસેથી ધર્મ સાંભળી હદયમાં ધારી હષ્ટતુષ્ટ થઈ પ્રભુશ્રીને જમણી બાજુથી ત્રણવાર પ્રદક્ષિણા કરી. પછી સ્તુતિરૂપ વંદન કર્યું, શરીરવડે નમસ્કાર કર્યા. અને વંદણ નમસ્કાર કરી ભગવાન પ્રત્યે કહેવા લાગ્યા, કે હે ભગવાન ! હું નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધાવાળે થયો છું. એટલે સર્વમાં જૈનશાસન શ્રેષ્ઠ છે એમ અંગિકાર કરું છું. તેમજ તેની પ્રતીતિ કરું છું. મને તે રૂચે છે. એટલે તેમાં કહ્યા પ્રમાણે કરવાની મારી ઈચ્છા છે. નિગ્રંથ પ્રવચનને અંગીકાર કરવા ઈચ્છું. આપ કહે છે તેમજ મને આપનાં વચને બરાબર રૂમાં છે. તેથી ચારિત્ર ગ્રહણ કરવાની મારી ઇચ્છા થઈ છે. પરંતુ મારે માતાપિતાની રજા મેળવી આપની પાસે મુંડ થઇને પ્રજા અંગીકાર કરીશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034556
Book TitleMeghkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorNagindas Hathisingh Shah
PublisherNagindas Hathisingh Shah
Publication Year1933
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy