SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ તેને પૃથ્વીમાં દાટવાનું) કર્યું, ખીજે દિવસે જાગરિકા (રાત્રિ જાગરણુ) કરી. ત્રીજે દિવસે સૂર્ય ચંદ્રનાં દર્શન કરાવ્યાં. એ પ્રમાણે અનુક્રમે અશુચિ એવા જાત કર્માદિકની ક્રિયા પૂર્ણ કરી. બારમા દિવસે ધણાં મશન, પાન, ખાદિમ અને સ્વાદિમ પદાર્થોં તૈયાર કરાવ્યા. અને મિત્ર, અઁધુ આદિ જ્ઞાતિજના, પુત્રાદિક નિજજા, કાકા વગેરે સ્વજન, સસરાદિક સંબંધીજના, દાસદાસી આદિક પરિજન, સૈન્ય તેમજ ગણુ નાયકા વગેરે સર્વને જમણુનું આમંત્રણ આપ્યું. પછી તેએ (રાજા રાણીએ) સ્નાન કરી, બલિકમ કરી, મીતિલકાદિક કૌતુક કરી સવ વસ્ત્રાલંકાર વધુ વિભૂષિત થયાં અને મોટા વિસ્તારવાળા તૈયાર કરેલા ભાજન મડપમાં નીતરેલા પરાણા સાથે તૈયાર કરાવેલાં અશન, પાન વગેરે આસ્વાદ,* વિવાદ× કરવા લાગ્યા, પરસ્પર આપલે કરી સમસ્ત પ્રકારે જમવા લાગ્યા જમી રહ્યા પછી શુદ્ધ જળ વડે આચમન-ચળું કર્યું. મુખ હાથ થાઇ ચેકખા કર્યું. અત્યંત પવિત્ર થયાં પછી આસનપર આવ્યાં, આસનપર આવીને નાતરેલા સર્વજનેાને વિપુલ પુષ્પ, વસ્ત્ર, ગંધ પુષ્પની માળા અને વસ્ત્રાલ કારવડે સત્કાર સન્માન કર્યા અને પછી આવેલા જાને સંખેાધી રાજાએ કહ્યું કે અમારા આ પુત્ર ગર્ભમાં આવ્યે ત્યારે તેની માતાને અકાળે મેધના દોહદ ઉત્પન્ન થયા હતા. તેથી આ પુત્રનું મેઘકુમાર એવું ગુણુ-નિસ્ફન નામ ઠરાવીએ છીએ. આસ્વાદ એટલે થાડુ ખાવું અને નાખી દેવું તે. સેરડી વગેરે × વિસ્વાદ એટલે ઘણું ખાવું અને થાડું નાખી દેવું તે. ખારેક, ખજીર, કેળાં વગેરે. * + સરસ્ત એટલે કંઈ પણ નાખી ન દેતાં તમામ ધાઈ શકાય તે. લાડુ વગેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034556
Book TitleMeghkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorNagindas Hathisingh Shah
PublisherNagindas Hathisingh Shah
Publication Year1933
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy