SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ છે અને પાતે એક ઘાસની પથારી ઉપર પડયા છે, એ તેના ધ્યા નમાં આવ્યું. વ્હાલા વાંચક ! લલિતસિંહ ડમાં હતા ? કુમાર ચંદ્રસિંહનુ તેણે ખૂન કર્યું છે, એવા ભયંકર અપરાધ ઉપરથી તેને અજયકૢર્ગના એક અંધકારમય ભાંયરામાં કેદ કરવામાં આવ્યા હતા. આમ અમારી આ વાર્તાના નાયક સશયનુ ખળીદાન બની ગયા હતા. શું એ તેના દુશ્મનાનું કાવતરૂં હતું કે સત્ય હતું ? ખરેખર શું લલિત ચંદ્રસિંહને ખૂની હતા કે–તેના રક્તથી તેના હાથ ખરડાયા હતા? પ્રકરણ ૨૩ મુ “શુ* લલિત ખૂની છે ? ” " પેાતાના પ્રિયભાઇની બાબતમાં અનિષ્ટ વાત સાંભળતાંજ પ્રભા વતીની શી સ્થિતિ થઇ હરશે, તેની કલ્પના અમારા વાંચકાએજ કરી લેવી. મધુરીએ ચદ્રસિ’હના સંબંધમાં જેટલું સાંભળ્યું હતું તેટલુંજ પ્રભાવતીને કહી સંભળાવ્યું. હજી મુખ્ય વાત તે તેણે પ્રભાવને કહીજ નહાતી. લલિતસિંઢું ચદ્રસિંહનુ. ખૂન કર્યું અને અત્યારે તે કિલ્લાના એક અંધકારમય ભયંકર ભેાંયરામાં કેદી થઇ પડેલા છે, વિગેરે વાતા પ્રભાવતીને કેવી રીતે કહી સંભળાવવી, તેનાજ વિચાર એક સરખી રીતે તે કરતી હતી. પોતે ગમે તેવા શાન્ત અને સામ્ય રાષ્ટ્રોમાં તે હકીકત પ્રભાવતી જણાવશે તે પણ તેથી પ્રભાવતીને થનારૂં દુઃખ કાઇ પણ રીતે ટાળી શકાશે નહિ, એવા પુખ્ત વિચાર કરી ધીમે ધીમે મધુરીએ તમામ હકીકત પ્રભાવતીને કહી સંભળાવી. મધુરી તે હ્રદયભેદક હકીકત કહેતી હતી અને પ્રભાવતી મશરૂના ગાલીચા ઉપર ખેડી ખેડી શ્રવણ કરતી હતી. મધુરીએ તે ભયાનક હકીકત પૂરેપૂરી તેને હી સંભળાવી અને પછી તેની તરફ્ જોયું તે તે કંઇ પણ હિલચાલ કરતી નહેાતી. ધણા વખત વીતી ગયા પછી મધુરીએ તેને હાંક મારી. પણુ તેના જવાબ આપવા પ્રભાવતી શુદ્ધિમાં નહેાતી. મધુરીના મુખેથી તે ભયંકર હકીકત સાંભળતી વખતે તે એશુદ્ધ થઇ પડી હતી. મધુરીએ ઘણી ઘણી કાશીશા કરવાથી આખરે પ્રભાવતી શુદ્ધિ માં આવી.. તેના દુઃખને વેગ જરા આછે થતાંજ તે પોતાની વિશ્વાસુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034539
Book TitleLalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Original Sutra AuthorN/A
AuthorUdaychand Lalchand Pandit
PublisherUdaychand Lalchand Pandit
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy