________________
૭૧
પાયા પર ચાલે છે એમ કહી શકાય. આ સિવાય શેતરંજીએ પણ અને છે છતાં પ્રખ્યાતપણું ન આપી શકાય. બાકી અનાજ કે માટીના વાસણ આદિ આછા પાતળા ઉદ્યોગા કહી શકાય. નિવિનતાની દૃષ્ટિયે કઇં ન જડે. માત્ર ખાવાની ચીજોમાં હજીપણ પાતળા તાર સમી સુત્રફેણી અને દેખાવમાં કઠીણુ છતાં ભાવતાં નરમ લાગે તેવાં ભજીયાં વખણાય છે. હલવાસન પણ તેવાજ પ્રકારની વસ્તુ મનાય છે, અને એ સાથે ખંભાતી ચવાણાને ભૂલી શકાય તેમ નથી. આ ઉપરાંત કાથીનાં દેારડાં તેમજ તાંબાના ઘડા, દેધડા આદિ ચીને ટકાઉપણામાં ચઢે તેમ છે.
વસ્તી અને જૈન કામ.
મુખ્યતયા દરેક વર્ણની વસ્તી હોવાથી અઢારે વર્ણ વસે છે એ કથન સત્ય છે, જો કે વેપારધંધાના નિમિત્તે તેમજ આવિકા અર્થે મોટા ભાગ ખંભાત બહાર વસે છે, છતાં લગ્નાદિ પ્રસગાએ એ સનું આગમન થતું હોવાથી તેમજ માતૃભૂમિ પ્રત્યે સ્નેહ હાવાથી એ સર્વ વસ્તી ખંભાતનીજ ગણાય છે, અને છે. મોટા વેપારમાં વાણીયા ( જૈન, વૈષ્ણવ આદિ) કણી, વહેારા અને ધાંચી આગળ પડતા છે, જેએ શહેરમાં અને દૂર દેશાવરમાં સારા વેપાર ખેડે છે, બ્રાહ્મણ જ્ઞાતિમાંના પણ કેટલાક વેપારમાં છે; છતાં ઘેાડા. તેમાં વકીલ, વૈદ્ય, અને જ્યાતિષી ઠીક ગણાય; રાજદરબારમાં તેમનું પ્રમાણ ઠીક કહેવાય. અધિકારની દૃષ્ટિયે ઐાનું સ્થાન નહિંવત્ છે; છતાં પૂર્વકાળની સારી છાપથી આજે પણ માન, મરતળેા ડીક જળવાય છે. જૈનેતર કામના પ્રમાણમાં ખંભાત બહાર જૈન કામે ધંધામાં વધુ સમૃદ્ધિ પ્રાપ્ત નથી કરી, અરે સરખાઇમાં પણ ન કહેવાય ! ખીજી કામેામાં રળનાર વધુ તે ખરચ સામાન્ય; ત્યારે જૈન સમાજમાં કમાનાર એક અને ખાનાર વધારે, એ ધેારણુ પાછું પાડનાર છે જે
તરફ ધ્યાન દેવાની અગત્ય છે. જૈન કામને નારીગણુ આજે ધર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com