SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ એ સરાઓ છે. બહારના ભાગમાં ચોતરફ ગ્રામ્યવાસી જનેાની વસ્તી વિસ્તરેલી છે છતાં વિશાળ કમ્પાઉન્ડમાં એકદરે શાંતિ ઠીક છે. કારતક સુદ ૨ (ભાઇબીજ) ને મહિમા હોવાથી તે દિને નગરના લેાકેા ખાસ દર્શનાર્થે આવે છે. પૂજાનું કાગડી દ્વારા લેવાય છે. વ્યવસ્થા જૈનશાળા કમિટિ હસ્તક છે. ત્યાંથી પાછા કરી, પરાના નાકા આગળ જ્યાં એ માર્ગના મેળ મળે છે ત્યાંથી એક નાના માગે થઇ કેટલાક મા કાપતાં વડવાની, જૂની કારીગરી વાળી સાતમજલા હેાવાની લાકવાયકાવાળી જોવા લાયક વાવ આવે છે. તેનાથી સામે થાડા અંતરે ‘કવિરાજના ધામ' તરિકે ઓળખાતું વિશાળ સ્થાન છે. ચાલુ વીસમી સદીમાં રાજચંદ્ર કવિ' તરિક એક વિદ્વાન થઇ ગયા છે; તે શતાવધાન કરી શકતા તે કાવ્યા રચી શકતા. તેમને તત્વજ્ઞાન ઉપર પણ લખેલું છે. મહાત્મા ગાંધીજી જેવા તેમને માટે ઉચ્ચ અભિપ્રાય ધરાવે છે. તે રૂઢિપાષક વર્ગના ન હતા; પણ સુધારક વર્ગના હતા એટલે જૈન સમાજમાં તેમને ચેાગ્ય સ્થાન પ્રાપ્ત ન થાય એ સમજાય તેવું છે. તેમાં તેમના અનુયાયીઓએ કેટલીક બાબતમાં અતિશયાક્તિ કરવાથી તેમના એક જૂદો પથ પ્રવત્યે એટલુંજ નહિં પણુ, જૂદા જૂદા સ્થાને ભિન્ન ભિન્ન આશયથી તેમના નામે ધામેા પણ સ્થાપાયા છે. આ સબધે વિસ્તૃત વિવેચનને અત્રે સ્થાન નથી, એટલે ટુંકમાં આ ધામ પણ તેમાંનું એક છે, જ્યાં દવાખાનું, ઉતરવા અને રહેવા માટે આરડીઓવાળી સરા, દેરાસર, વ્યાખ્યાનપીઠ, બાગ, અને સમાધિમંદિર આદિ જૂદા જૂદા વિભાગા છે. પૂર્વાચાર્યાંના લખાણામાંથી કેટલાક વચનામૃતા તારવી કહાડી દરવાજા, દેરાસર અને સમાધિમંદિરની દિવાલા પર મેાટા અક્ષરેાથી લખેલા છે, જે સૌ કાર્યનું ધ્યાન ખેંચે છે. વ્યાખ્યાનપીઠની રચના પણ નવિન ઢબની હાઇ, સાનુકુળતાવાળી છે. દેરાસરમાં શ્રી આદિનાથનું માટું બિંબ છે, ખીજી પણ પ્રતિમાઓ છે. જેના શ્રી॰ રાજચંદ્રને સ્વપ્ને પણ ખ્યાલ ન હતા તેવા નવા વાડા તેમના અનુયાયીઓએ ઉભા કર્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 'ww.unaragyanbhandar.com
SR No.034536
Book TitleKhambatno Itihas Ane Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorStambhatirth Jain Mandal
PublisherStambhatirth Jain Mandal
Publication Year1984
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy