SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ એમ કહી કરક લાકડી લઈને ઘેર આવ્યું. પેલા બ્રાહ્મણને તે ક્રોધ ભાય જ નહિ. તેણે કરક'ડુનો ઘાટ ઘડી નાખવાનો વિચાર કર્યાં. કરક ુને આ વાતની ખબર પડી, એટલે તે ગામ છેાડીને ચાલી નીકળ્યા, અને કંચનપુર પહોંચ્યા. ત્યાંના એક બગીચામાં તે વિશ્રાંતિ લેવા માટે ખેડા. કંચનપુરનો રાજા અપુત્રિ મરણ પામે. પ્રજાએ રાજા નક્કી કરવા એક અશ્વને છુટા મૂક્યા. અશ્વ કરતા કરતા જ્યાં કરક ુ બેઠો છે ત્યાં ઉદ્યાનમાં આવ્યા અને તેના માથા પર હણુહણાટ કર્યાં. એટલે પ્રજાજનોએ જયવિજય ધ્વનિ કરી કરક ુને ઉંચકી લીધેા અને રાજ્યાસને બેસાડયા. આ વાતની પેલા બ્રાહ્મણને ખબર પડી એટલે તેને વધારે ક્રોધ ચડયો. તે કરક ુ પાસે આવ્યેા. અને તેને ખીક દેખાડી. કરક ુએ પેલા લાકડાને દંડ ફેરવ્યે એટલે તેમાંથી અગ્નિના તણખા નિકળવા લાગ્યા. બ્રાહ્મણ ગભરાયા અને એ હાથ જોડી ખેલ્યાઃ–ભાઈ, જેના કિસ્મતમાં રાજ્ય હોય તેજ ભાગવી શકે. પણ તમે મને વચન આપ્યા મુજબ એક ગામ તે આપશે ને ? કરક'ડુએ કહ્યું. હા, જરૂર. પણ તારે કઈ જગ્યાએ ગામ જોઈએ છે ? બ્રાહ્મણ ખેલ્યુંાઃ ચંપાનગરીની પડેાશમાં. કરક ુએ ચંપાનગરીના દિવાહન રાજા પર એક ચીઠ્ઠી લખી આપી. બ્રાહ્મણ ત્યાં ગયેા અને રાજાને ચીઠી આપી. આ બ્રાહ્મણ ચંડાળ જાતિના હતા. તેની દિધવાહનને ખબર પડતાં તે ઉશ્કેરાયા. તેણે ચીઠીના ટુકડે ટુકડા કરી ફેંકી દીધા, અને બ્રાહ્મણને માર મારી નસાડી મૂક્યા. બ્રાહ્મણ કરકડુ પાસે આવ્યા અને સઘળી વાત કહી. આથી કરકડુ ખેલ્યા શું દષિવાહનને આપણી ચંડાળ જાતિ પર આટલા બધા તિરસ્કાર છે? એમ કહી તેણે સેનાપતિને ખેાલાવી લશ્કર તૈયાર કરાવ્યું અને દધિવાહન સામે લડવા નીકળ્યા. દધિવાહન પણ પોતાનું લશ્કર લઈ લઢવા માટે મેદાનમાં આવ્યું. આ વાતની પદ્માવતી સાધ્વીને ખબર પડી. એટલે તરતજ તે કરકડુના તંબુમાં આવી. સાધ્વીજીને દેખી કરક ુએ પ્રણામ કર્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy