SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના એક વખતના ઉપદેશથી અલયકુમારને ચારિત્ર લેવાની ઈચ્છા થઈ, તેથી તેણે તે માટે પિતાની આજ્ઞા માગી. શ્રેણિકે તેને રાજ્યગાદી સુપ્રત કરવાનું કહ્યું, પરંતુ અભયકુમારે તે ન લેતાં સંયમ માટે આગ્રહ કર્યો. શ્રેણિકે દુખિત થતા કહ્યું -કુમાર, ભલે તમે રાજગાદી ને , પરંતુ હું હમને જ્યારે “ના” કહું ત્યારે જ તમારે જવું. અભયકુમારે પિતાની આ વિનતિ માન્ય રાખી. પ્રસંગવશાત એવું બન્યું કે એક દિવસે ચેલ્લણ દેવીએ એક ઉદ્યાનમાં વસ્ત્ર એહયા વિનાના એક ધ્યાનસ્થ મુનિને જોયા, તે રાત્રે સખ્ત ઠંડી પડી હતી, તે વખતે સાલમાં વીંટાયો તેણીને હાથ અકસ્માત બહાર નીકળી જતાં તેને ઠંડીને સખ્ત આંચકો લાગે, પરિણામે હાથ નિશ્ચતન જે બની ગયો. આ ત્રાસથી ચેલણાથી સહજ બોલાઈ ગયું કે અહે, આવી સખ્ત ઠંડીના વખતે મેં ઉદ્યાનમાં જેલા તે મુનિ શું કરતા હશે? આ શબ્દો શ્રેણિકના સાંભળવામાં આવતાં તેને ચેલ્લણ પર સતીપણાને વહેમ આવ્યા. પ્રાતઃકાળે વહેલા ઉઠી તેણે ચલણે સાથે તેને મહેલ સળગાવી મૂકવાની અભયકુમારને આજ્ઞા કરી; પણ બુદ્ધિનિધાન અભયકુમાર આ અવિચારી આજ્ઞાને અમલ એકદમ કેમ કરે ? તેણે યુક્તિ કરી. ચેલણાના મહેલને બદલે જીર્ણ એરડીઓ સળગાવીને, પોતે પ્રભુ મહાવીરના દર્શન કરવા નીકળી ગયા. બીજી તરફ આજ્ઞા આપીને તરત જ શ્રેણિક રાજા અભયકુમારની પહેલાં પ્રભુ પાસે પહોંચી ગયા હતા, ત્યાં શ્રેણિકે પ્રભુને ચેતલણ સંબંધીને પિતાનો સંશય પૂછો -પ્રભુએ મુનિની વાત કરી ચેલણાનું સતીત્વ સાબિત કર્યું. આથી શ્રેણિકને ખૂબ પશ્ચાતાપ થયો. તરતજ પોતે આપેલ દૂકમ બંધ રખાવવા ઉતાવળે પાછો ફર્યો; તે વખતે અભયકુમાર તેને સામે મળે, તે સાથે શ્રેણિકે બળતી ઓરડીઓના ધૂમાડા જોયા. આથી તેણે ગુસ્સે થઈને અભયકુમારને કહ્યું કે-જ, મારી દષ્ટિથી દૂર થા.” અભયકુમારને એટલું જ જોઈતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com જી તરફથી ગયા છે . મુનિ
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy