________________
ફરતા ફરતા તે રાજગ્રહી નગરીના મડીકુક્ષ ઉદ્યાનમાં આવી ચડયા, મુનિ તે સ્થળે ધ્યાનમાં બેઠેલા છે તેવામાં તે નગરીને રાજા શ્રેણિક અશ્વ ખેલાવતા મુનિ સમીપ આવી પહોંચ્યા. તેણે મુનિનું સર્વાંગ સુંદર શરીર નીહાળી આશ્ચર્ય ચકિત બની પૂછ્યું:–મહાનુભાવ, કૃપા કરીને કહેશો કે આપ કાણુ છે ? આ સુંદર દેહે . આવા કઠિન તપ શા માટે?
અનાથીએ કહ્યું:——રાજન, હું અનાથી નામે નિત્શ—સાધુ છું. શ્રેણિકે કહ્યું:—મહાનુભાવ, તમારા કાઇ નાથ ન હોય તે હું
તમારા નાથ થાઉં.
મુનિ—રાજન, તું પેતે જ જ્યાં અનાથ છે ત્યાં તું મારા નાથ શી રીતે થઇ શકશે?
—
શ્રેણિક આશ્ચર્ય પામી ખેલ્યું: આપ મૃષાવાદ તા ખેલતા નથીને? કેમકે હું તેા અંગ અને મગધ દેશના રાજા છું. કરાડાની ધનસ'પત્તિ અને લાખા અનુચરાના હું માલીક છુ.
મુનિ—રાજન, એ બધું જાણીને જ મે તમને કહ્યું છે. મારૂં અનાથપણું તમે સમજી શકયા નથી. તા સાંભળેાઃ—હું કૌશ’ખી નગરીના ધનાઢય શેઠના પુત્ર છું, મારે ત્યાં ધન સપત્તિની કમીના ન હતી. નાકર, ચાકર, સ્ત્રી, માતા, પિતા, બહેન, ભાઇ વગેરે બધુ મારે હતું. હું મારા દિવસો સુખમાં નિ’મન કરતા, પરન્તુ કાઈ એવા વિષમ ચેાગે મને આંખની અતૂલ પીડા ઉત્પન્ન થઇ, શરીરમાં દાહ જ્વર થયા, મારૂં આખું અંગ વ્યાધિથી ઘેરાઇ રહ્યુ.. મારા આપ્તજને મારા આ દુઃખ માટે ખૂબ શેક કરવા લાગ્યા. પુષ્કળ ધન ખર્ચીને દવા કરાવી, પરન્તુ મારૂ આ દુ:ખ મટયું નહિ—કાઇ મટાડી શક્યું નહિ. મારી સ્રો રાત દિવસ મારી પાસે બેસી રહીને આંસુએ સારતી, મારી માતા મને દુ:ખ મુક્ત જોવા અતિ આતુર હતી. મારા ભાઇઓ અને બહેનેા, નાકરા અને ચાકરી સતત મારી સેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com