SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ અચળ. અચળ” એ અંધક વિષ્ણુના પુત્ર હતા. તેમણે પ્રભુ નેમનાથ પાસે દીક્ષા લીધી હતી. ૧૬ વર્ષની ઉગ્ર સંયમ આરાધનાને અંતે તેઓ મેક્ષમાં પધાર્યા. (અંતકૃત) ૪ અચળ બળદેવ. પિતનપુર નામની નગરીમાં પ્રજાપતિ નામે રાજા હતા. તેની ભદ્રા નામની રાણથી અચળ નામે બળદેવ થયો. તેમણે શ્રેયાંસનાથ પ્રભુના સમયમાં ચારિત્ર લઈ ૮૫ લાખ વર્ષનું આયુષ્ય ભોગવ્યું અને તેઓ મેક્ષમાં ગયા. ૫ અચળ જાતા, કૌશંબી નગરીમાં વસુ નામના બ્રાહ્મણની નંદા નામની સ્ત્રીથી ઉત્પન્ન થયા હતા. તેમને “પુણ્ય અને પાપ સંબંધીને સંશય હતે. ભ. મહાવીરે તેમને તે સંશય ટાળ્યો, તેથી તેમણે ગતમ સાથે દીક્ષા લીધી અને તપ સંયમની આરાધના કરી મેક્ષમાં ગયા. તેઓ ભગવાન મહાવીરના નવમા ગણધર હતા. ૬ અજીતનાથ.. વર્તમાન ચોવીસીના છેલ્લા તીર્થકર. તેઓ વનિતા નગરીમાં જિતશત્રુ રાજાની વિજ્યાદેવી નામની રાણીની કુક્ષિએ, સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી આવીને વૈશાક શુદિ ત્રીજને દિવસે ઉત્પન્ન થયા હતા. તે વખતે તેમની માતાને વૈદ ન આવ્યા હતા. ગર્ભકાળ પૂરો થતાં મહાશુદિ આઠમે તેમને જન્મ થયો. છપ્પન કુમારિક દેવીઓએ આવી સૂતિકાકર્મ કર્યું. ઈન્દ્રોએ જન્મોત્સવ ઉજવ્યો. પિતાને અતિ આનંદ થયો. અજિતનાથ ગર્ભમાં આવ્યા ત્યારથી રાજારાણી પાસા રમતાં, વિજયાદેવીને પાસાની રમતમાં રાજા જીતી શક્યો ન હોવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy