SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ ચેડારાજા ( ચેટકરાજા ) તેઓ 'ગાળ દેશની વિશાળા નામક નગરીના રાજા હતા. તેઓ ભગવાન મહાવીરના મામા થતા હતા. ચેડા રાજા જૈન ધર્મી હતા, એટલું જ નહિ પણ તેમણે શ્રાવકના ખાર વ્રત ધારણ કર્યાં હતા. વ્રતધારી છતાં તેમને અનેક રાજા સાથે યુદ્ધમાં ઉતરવુ' પડયું હતું. વ્રતધારી વિના અપરાધે કોઈના પર ધા ન કરે, કે વિના અપરાધે કોઈ ને હુણે નહિ. પ્રતિપક્ષી લડવાનું કારણ ઉત્પન્ન કરે તેા જ તે વ્રતધારી રાજાએ વિગ્રહમાં ઉતરતા. ચેડા રાજા મહા સમર્થ અને પરાક્રમી હતા. તેઓ એવા નિશાનબાજ હતા, કે તેમણે ફેકેલું ખાણ કદી નિષ્ફળ ન જવું. કાણિક સાથેના યુદ્ધમાં કાલિ આદિ કુમારને પેાતાના તરફ પહેલું બાણ છેાડવાનું ચેડારાજાએ કહેલું, અને તેના બાણા આવ્યા પછી જ, તે ખાણા ચૂકાવીને પેાતે ખાણા છોડી તેમના સહાર કરેલા. ચંડપ્રદ્યોતાદિ અનેક રાજાઓને તેમણે ક્ષમા આપીને છોડી મૂકેલા. કોણિક સામેના વિગ્રહમાં દેવા તેમને વિશાળા નગરીમાંથી ઉઠાવી ગયા હતા; અને તિર પ્રદેશમાં તેમણે પોતાનું જીવન પુરું કર્યું હતું. મહારાજા ચેટકને સાત પુત્રીઓ હતી. જૈનધર્મીઓને જ પેાતાની કન્યા આપવાના ચેડારાજાને નિરધાર હાવાથી પેાતાની છ કન્યાએ જૈન રાજાએ વેરે પરણાવી હતી. માત્ર એક ચેલા અભયકુમારની યુક્તિથી ન્હાસી જઈને રાજા શ્રેણિક ( બૌદ્ધધર્મી ) ને પરણી હતી, પણ પછીથી તે રાજા જૈનધર્મી થતાં ચેલણા જૈનમાર્ગાનુયાયિની બની રહી હતી. ૯૨ ચેલ્લણા ( ચિલ્લા દેવી ) તે વિશાળા નગરીના મહારાજા ચેટકની પુત્રી હતી. ચેલ્લણાની ખીજી બહેન સુજ્યેષ્ટા અતિ રૂપવાન હતી, તેનાથી મેાહિત બનીને શ્રેણિક રાજાએ તેણીને પરણવાના નિશ્ચય કર્યાં. આ માટે અભય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy