________________
૧૧૨
* |
તે સાક્ષાત દિવ્યાંગના સમી સૌંદર્યવાન સ્ત્રી તેમના જોવામાં આવી. જોતાં જ તે એકદમ તેનામાં મુગ્ધ બન્યા અને વિકાર ઉત્પન્ન થયા. તરત જ તેમણે નિયાણું કર્યું કે જો મારા તપ સંયમનું ફળ હોય તે આવતા ભવે મને આ સ્ત્રીરત્ન પ્રાપ્ત થળે. અહા, કાંચન અને કામિનીના પ્રભાવ જગત જતાપર કેવા પડે છે, જેનું અપૂ ચારિત્ર બળ છે, એવા મહાન મુનિવરા પણ સ્ત્રીએના સૌંદર્યમાં વિકારવશ અની આત્માનું હિત ગૂમાવી એસે છે. '
ચક્રવર્તી ત્યાંથી સ્વસ્થાનકે આવ્યા. તેમને ખબર પડી કે મુનિના ક્રોધનું કારણ પ્રધાન હતા. તેથી તેમણે પ્રધાન પર ગુસ્સે થઈ તેના ધરબાર લૂંટી લીધા અને તેને રાજ્યમાંથી હાંકી કાઢ્યા. અને મુનિવરેા કેટલાક વખત સુધી અણુસણ ધૃત પારી કાળાન્તરે કાળધને પામ્યા અને સૌધમ દેવલેાકમાં દેવ થયા. ત્યાંથી ચિત્ત મુનિ પુરિમતાલ નગરમાં એક ધનાઢય શેઠને ત્યાં પુત્રપણે અવતર્યા અને સંભૂતિ મુનિ કપિલપુર નગરમાં બ્રહ્મભૂતિ રાજાને ત્યાં, તેની ચુહ્મણી રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉપજ્યા. તેજ વખતે રાણીએ ચૌદ સ્વપ્ન દીઠાં. તીર્થંકર અને ચક્રવર્તીની માતા ચૌદ સ્વપ્ન દેખે છે. અનુક્રમે સવાનવ માસે પુત્રને જન્મ થયા. રાજાએ જન્માત્સવ ઉજવ્યા અને પુત્રનુ નામ ‘ બ્રહ્મદત્ત’ પાડયું. કેટલાક સમયે રાજા મરણુ પામ્યા. કુમાર તે વખતે આલ્યાવસ્થામાં હતા. એટલે રાજ્યના સધળા કાર્યભાર રાજાએ પાતાની માંદગી વખતે તેના દીધ નામના એક મિત્ર રાજાને સોંપ્યા હતા. આ દીધું રાજાને ચુભ્રૂણી રાણી સાથે આડા સબંધ હતા. આખા દિવસ અને રાત તે ચુલ્રણીના આવાસમાં જ પડયા રહે અને તેની સાથે પ્રેમ સુખ ભાગવે. આ વાતની બ્રહ્મદત્તને ખબર પડી. પેાતાની માતાનું દુષણ તેનાથી સહન ન થયું, એટલે એકવાર તેણે દીધ` રાજાને ચાકખું સંભળાવી દીધું કે હંમે અંતઃપુરમાં મારી માતા સાથે દુષ્ટ રીતે વર્તો છે, પણ યાદ રાખજો કે હું તમને કોઈ વખત જાનથી મારી નાખીશ. આ શબ્દો સાંભળતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com