SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ નામે દેવ થયા. નિયાણા મુજબ અગ્નિકુમાર દેવ દંડક દેશ બાળી મૂકો અને ત્યારથી દંડકારણ્ય હાલ કહેવાય છે. ૭૯ ખેધક સન્યાસી તેઓ શ્રાવતી નગરીમાં ગઈ નામના પરિવ્રાજકના શિષ્ય હતા. ચાર વેદાદિ છે શાસ્ત્રમાં પારંગત હતા. એકવાર પ્રભુ મહાવીરના પીંગળ નામના સાધુ સાથે તેમને મેળાપ થયે, તે વખતે પીંગળ મુનિએ અંધકને પૂછયું કે આ લેક અનંત છે કે અંત સહિત છે? જીવ અંત સહિત કે અંત રહિત છે? સિદ્ધશિલા અંત સહિત છે કે રહિત છે? સિદ્ધના છ અંત સહિત છે કે રહિત છે ? અને કેવા મરણથી છવ સંસાર વધારે તથા કેવા મરણથી છવ સંસાર ઘટાડે ? આ દશ પ્રશ્નો પૂછયા. તેને જવાબ બંધક પરિવ્રાજક આપી શકયા નહિ, આથી તેમની મુંઝવણ વધી. એવામાં શ્રાવસ્તી નગરીના લો બોલવા લાગ્યા કે ભગવાન મહાવીર અહિંથી થોડેક દૂર કર્યાગેલા નગરીમાં પધાર્યા છે. આ વાત સાંભળી બંધક પ્રભુ મહાવીરના દર્શને જવા ચાલી નીકળ્યા; એ અરસામાં ભગવાન મહાવીર દેવે ગૌતમને કહ્યું કે તમારે પૂર્વજોહી બંધક પરિવ્રાજક અહિંયા આવે છે. આથી શ્રી ગૌતમે પ્રશ્ન કર્યો–પ્રભુ, તે અહિં ક્યારે આવશે અને આપની પાસે તે સાધુપણું અંગીકાર કરશે કે કેમ? જવાબમાં ભગવતે કહ્યું – શ્રાવસ્તી નગરીને ઘણે ભાગ તે વટાવી ચૂકી છે અને તે મારી પાસે પ્રવર્જિત થશે. આ સાંભળી શ્રી ગૌતમ તે અંધકને સત્કાર કરવા સામા જવા નીકળ્યા, ત્યાં સમવસરણ નજીક ખંધકને મેળાપ થો. શ્રી ગૌતમે અંધકને પૂછયું હશે “લોક અનંત છે કે અંત સહિત છે” વગેરે પ્રશ્નોનું નિરાકરણ કરવા આવ્યા છો? ખધકે કહ્યું –હા, હમે કેમ જાણ્યું? ગૌતમે કહ્યું –મારા ભચાર્ય, ધર્મગુરૂ શ્રી મહાવીર દેવ પાસેથી મેં જાણ્યું. અંધકે કહ્યું ત્યારે ચાલે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy