________________
પ્રાચીન ભારતવર્ષનું સિંહાવલોકન
ભાગ ૧ લે ઈતિહાસના અભ્યાસી આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિના સતત: પરિશ્રમથી રચાએલા આ ગ્રંથમાં પાવાપુરી, સાર તીર્થ અને સાંચીની ખરી હકીકત, નવી જૂની ચંપાપુરી અને અંગ દેશના સ્થાનનો નિર્ણય, પ્રભુ શ્રી મહાવીરનું નિર્વાણ સ્થળ ચુંગીઘર કે. ઘોડાને તબેલે ? ચોરવાડ એ જ શૌરિપુર તીર્થ કે ? જૈન ચક્રવર્તી મહારાજા ખારવેલની હકીકત, પ્રભુ મહાવીર અને બુદ્ધિની લગ્નવય, પ્રસેનજીત અને પ્રદેશી રાજા તથા બેધિસત્વ પાર્શ્વ અને પાર્શ્વનાથ તીર્થકરને વિવેક, અયોધ્યા અને ઉજજૈનની ભિન્નતા, વિગેરે હકીકતનું સત્ય અન્વેષણ છેલ્લામાં છેલ્લી શોધખોળપૂર્વક જૈન, બૌદ્ધ, વૈદિક લગભગ એક સો ગ્રંથને આધારે લખાયેલે અપૂર્વ ગ્રંથ. કિંમત રૂ. ૧-૮-૦ સુરપુરા (નચરિત્ર) નાવન !
સંશોધક જૈનાચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિજી. શ્રી. માણિક્યદેવસૂરિરચિત. આ ગ્રંથ મુંબઈ રોયલ એશિયાટિક સોસાયટી, આગ્રા વિજય ધર્મલક્ષ્મી જ્ઞાનભંડાર અને ભાવનગર પં. ગંભીરવિજ્યજી પુસ્તકસંગ્રહ આ ત્રણે ભંડારેની પ્રતો સાથે મેળવી છેલ્લામાં છેલ્લી ઢબથી. નિર્ણયસાગરી ટાઈપથી ઉંચા કાગળમાં પ્રતાકારે છપાવવામાં આવ્યા છે જેમાં દશ સ્કન્ધના સો ઉપરાંત સર્ગો છે. છન્દરચના, અનુપ્રાસ. અલંકાર આદિથી રચનાશૈલી પણ ઘણી જ ઉત્તમ છે. શકુન્તલા. કળાવતી, સતી સુભદ્રા અદિની અવાંતર કથાઓ વાચક અને શ્રેતા-. એની રસપૂર્તિ માટે પરિપૂર્ણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com