SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ] . . . . . . પૂ. સગરાનંદસૂરિજી સંકલિત અને તે વચનને પિતાના જીવનમાં ઉતારવા યથાશક્ય પ્રવૃત્તિ કર્યા સિવાય રહેશે નહિ. તેની આડે આવનારા નિરતર વિષયના કીચ્ચડમાં ખૂંચેલા, સ્ત્રી-પુત્રાદિકના મમત્વની જાળમાં ફસેલા, લોભ અને લાલચમાં બેલા, આરંભ અને પરિગ્રહના પ્રવાહમાં ખીંચાઈ રહેલા, મિથ્યાત્વ દાવાનળમાં સળગી રહેલા, અજ્ઞાન અને અવિવેકનાં પડળથી છવાઈ ગયેલા, દિકની અવજ્ઞા કરવામાં ગાંડાતુર બનેલા, શરીરને માટે અભક્ષ્ય અને અપેય પદાર્થોને પણ જરૂરી ગણાવનારા, માયા અને પ્રપંચમાં મુંઝાઈ રહેલા, ધર્મનું તત્ત્વ સમજવા કોઈપણ દિવસ પ્રયાસ નહિ કરનારા, વગર દારૂના ઘેનમાં ઘેલછાવાળા થયેલા અને એવાઓએ જ ઉપજાવી કાઢેલા કલ્પિત અને શાસ્ત્રવિરુદ્ધ નિયમને સાચા સાધુઓ આધીન થાય, એ સ્વને પણ માની શકાય તેમ નથી. જે કેટલાક વેપધારીઓ, ભકતના રોટલાના ગુલામ બનેલાઓ, આવા નિયમનો, અગર તેનાથી પણ હલકા નિયમન, પરમપુરૂષ પ્રણીત વચનોની માફક આદર કરવા તૈયાર પણ થશે, તો તેથી એમ નહિ માની લેવું કે-પ્રભુ આજ્ઞાના રસિક અને શાસ્ત્રોને જ શિરોધાર્ય ગણનારા મુનિવરે તેવા પેટભરાઓને જોઈને સત્ય માર્ગથી લેશ પણ ચલાયમાન થાય કારણ કે ભગવાન્ શ્રી જિનેશ્વરદેવનું શાસન હજુ સાડા અઢાર હજાર વર્ષ સુધી અખંડિતપણે રહેવાનું જ છે. સમાસ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034502
Book TitleDikshanu Sundar Swawrup
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1933
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy