SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૨ ] ધર્મ જીજ્ઞાસુ અક્બર. પુષ્પાના કુંડાં ગાઢવી દેવામાં આવ્યાં હતાં. એરડાનાં મધ્ય ભાગમાં કમળાની શય્યા હતી. કમળાને તેની સેવામાં જાગ્રત થયેલી જોઈ ત્યાં રાકાયેલી દાસીએ પુછ્યુ. “આપને શાંતિ છે કે ?” કમળાએ પેાતાના કપાળપર હાથ ફેરવ્યા અને આત્મથી ખાલી: “ આ શું? હું અહિં ક્યાંથી ?.........', હું; જહાંપનાહ તે સુખરૂપ છે ને ? ” cr હા; નામવર માદશાહ સુખરૂપ છે. આપને શાંતિથી નિદ્રા લેવા હકીમની સલાહ છે. ” કમળાએ પુન: પેાતાના નેત્રા મીંચ્યાં. પણ તે વિચારવેગને રોકી શકી નહિં. પેાતે અકબરના પ્રાણ મચાવતાં ઘાયલ થઇ એ સર્વ ઘટના કમળાની ષ્ટિ સન્મુખ પુન: ખડી થઇ. “ ' જે કર્યું તે ઠીકજ કર્યું ” તે સ્વગત વિચારવા લાગી. જે આજે માદશાહના નાશ થયા હોત તે તેના આરોપ બિચારા સિકિના ગરીબ રાજપૂતાના શિરપર આવી પડત અને અમારી નાહક ફજેતી થાત ! અમરસિંહ, જીણુ સિંહ કે હું અથવા તેા પૃથ્વીસિંહ પરજ તે આરોપ મૂકવામાં આવત ! ” પૃથ્વીસિંહનુ નામ યાદ આવતાંની સાથેજ કુમળા ચમકી. ગઇ કાલે પૃથ્વીસિંહ મેદાનમાં કેમ નહિ આવ્યા હોય? પૃથ્વીસિંહ કાણુ હશે ? તે રહે છે કયાં ? પાતાની હકીકત કહેવાના પ્રસંગ આવતાં તેના પર તે ઢાંકપીછાડા કેમ કરે છે ? વગેરે પ્રશ્નોના વિચાર કરવામાં કુમળા લીન થઈ ગઇ. વિચાર કરવા જેટલી પેાતાની શક્તિ નહિ હાવાથી કમળાએ વિચારશ્રેણીને અટકાવવાના યત્ન કરવા માંડયા. પેાતાના કપાળપરના પ્રસ્વેદ તેણે લૂછી નાંખ્યા. ને પેાતાનાં વસ્ત્રો સમાર્યો. એટલામાં એરડાનું દ્વાર ઉઘડયું. કમળાએ ચમકીને જોયું તેા દ્વારમાં ખુદ ખાદશાહ અકબર ઉભા હતા. કમળાએ આમતેમ જોયુ તે તેણે દાસીને ત્યાં જઇ નહિ. પેાતાના ભાલ પ્રદેશપર ઉડી રહેલી લટા સમારતી કુમળા પોતાની શય્યામાં એડી થઈ ગઈ. તેના નેત્રયુગલમાંથી એક પ્રકારનું અપૂર્વ તેજ પ્રકાશવા લાગ્યું. તે નિશ્ચલપણે અકબર પ્રત્યે જોઇ રહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034493
Book TitleDharm Jigyasu Akbar Ane Acharya Hirsuriji
Original Sutra AuthorN/A
AuthorDalpatram Bhaishankar Raval
PublisherDevchand Damji Kundlakar
Publication Year1921
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy