________________
થવા લાગ્યું. ધારશીભાઈ ધારશીભાઈ કહેવાવા લાગ્યા. સમાજમાં પણ સારી પ્રતિષ્ઠા વધી. વેવિશાળની વાત ચાલી અને માતા સુભગાબાઈને સુભાગ્ય ઉપડયાં. પણ વિધિને એ મંજુર નહોતું. કાળકાળ લેગ મુંબઇમાં ધસમસતે આવ્યો ને ધારશીભાઈના જીવનમાં અજબ પલટ કરતો ગયો.
બા ! આજે કેમ લાગે છે !'
બેટા ! ધારશી ! હું બન્યું એમ લાગતું નથી. બહુ પીડા થાય છે. તારા બાપુને હવે તેડાવીશ મા ! તે પત્રીથી નહિ પહોંચી શકે.”
પણ બા ! દાક્તરને તેડી લાવું ! જોઈએ કદાચ ગાંઠ ફૂટી જાય તો દર્દ મેળું પડે.'
" ના ભાઈ ના, દાક્તર બાક્તર નથી લાવવા ! હવે તે મને અરિહંતનું શરણુ લેવા દે. બેટા મેણુશી, આમ આવ તો. બેટા રતન, રો નહિ. જે હમણું મને ઠીક થઈ જશે.'
“બા ! બા ! તું બેનભાઈની કશી ફિકર ન કરીશ.”
“ભાઈ ! મારે તે શું ફિકર છે ! તું છોને બધાને સંભાળે તે.
માતા પુત્રને છેલ્લા મેળા ચાલે છે. મા ઘરની ભરભલામણ કરે છે ત્યાં તો છેલ્લા શ્વાસ ઉપડયા ને સહુને રેતાં મૂકી માએ વિદાય લીધી. •
મુંબઈમાં મરકી ચાલતી હતી. જ્યાં તે પહોંચતી ત્યાં સાથ વાળી દેતી. કુટુંબોના કુટુંબો ઉજાડી દેતી.
[૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com