SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ કાળા ભમ્મર હોય છે. મુખ પર સદા હાસ્ય ફરકતું રહે છે. કળા-કૌશલ્યમાં એ ચતુર હોય છે. શનિવાર–આ દિવસે જેને જન્મ થયેલ હોય તે શરીરે દુબળા દેહવાળા થાય છે. તેનામાં તમે ગુણની અસર ખાસ પ્રમાણમાં રહે છે. વૃદ્ધાવસ્થા એને ઝડપથી આવે છે. એ બીહામણ, ક્રોધી, મેલા મનને તથા બળીયેલ બને છે. નક્ષત્ર ઉપરથી સ્વભાવ લક્ષણ નક્ષત્ર ૨૮ છે. જતિષની દ્રષ્ટિએ દરેક નક્ષત્રમાં કંઇને કંઈ ખાસ ગુણ રહેલા છે. જેને જે નક્ષત્રમાં જન્મ થાય છે તેનામાં એ નક્ષત્રનાં ગુણની અસર વધતા ઓછા પ્રમાણમાં જરૂર છૂપાયેલી હોય છે. અશ્વિની–આ નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય તેનામાં સત્વગુણ મુખ્યપણે રહેલો છે. એ વિનયી, સંપતિશાળી, ધનિક અને વૈભવવિલાસ ભેગવનાર બને છે. ભરણું–આ નક્ષત્રમાં જેને જન્મ થયો હોય તે માણસ ધૂર્ત બુદ્ધિવાળે, રમત-ગમત શોખીન, નિરોગી, અપવાદી તથા કીતિને કલંક લાગે તેવા કામ કરનારે થાય છે. કૃત્તિકા–આ નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય તે માણસમાં અનેકવાર ખાટાં લક્ષણે હોય છે. એ અસત્યપ્રિય, ભટકનારે, પરસ્ત્રી લંપટ તથા અસ્થિર મને દશાવાળ બને છે. રહિણી આ નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય તે ધાર્મિક બુધિવાળે, સર્વ વિદ્યા સંપન્ન તથા બોલવા ચાલવામાં ચતુર અને મિતભાષી બને છે. એ પવિત્ર અને સાચ્ચા બોલો પણ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034483
Book TitleBhavishya Vani Vibhag 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorAnadkumar Bhatt
PublisherN M Thakkar Co
Publication Year1943
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy