SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ આ લોકોને એક માટે દોષ એ છે કે તેઓ પૈસા પાછા આપી શકાશે કે નહિ તેને પૂરો વિચાર કર્યા વગર લોકોની પાસેથી નાણું ઉધાર લે છે. એ આપી શકાય તે ઠીક છે પણ જ્યારે ન આપી શકાય એમ હોય ત્યારે તેઓ તે પાછી આપવાને જરાય પ્રયત્ન કરતાં નથી એટલું જ નહિ પણ કોઈ તેની ઉઘરાણી કરે તો પણ તે તેમને ગમતું નથી. નાણાં ધીરનારે ઉદારતાથી પોતાનાં નાણાં છોડી દેવા જોઈએ એમ તેઓ ઇચ્છે છે. આમ છતાં પણ તેઓ જાણી જોઈને અપ્રમાણિક થતાં નથી. તેમના જેવી ન્યાયબુદ્ધિ બીજી કોઈ પણ રાશિમાં જન્મેલાં સ્ત્રી-પુરુષમાં હોતી નથી. અને આ સ્વભાવને લઈને આ તારીખેમાં જન્મેલાઓમાંના કેટલાક ઈશ્વર પ્રતિ શ્રદ્ધા ધરાવનારા અને તેના ભક્ત હોય છે. આ તારીખોમાં જન્મેલાઓનો બીજો એક ખાસ અવગુણ પ્રારબ્ધ પર વિશ્વાસ રાખવાને છે. તેઓ પોતાનાં નસીબ પર હદ બહારનો આધાર રાખે છે અને કેટલીકવાર આ અતિશયતાને લઈને તેઓ નુકશાન પણ ખમી લે છે. આ લોકોને જોતિષ તેમજ અગમ્યવાદ (0ccult) પર ખાસ શ્રધ્ધા હોય છે. તે જાણવાને માટે તેઓ વખતેવખત પ્રયત્ન કરે છે. પરંતુ એમાંનાં થોડાંક જ તેમાં પૂરી સફળતા પ્રાપ્ત કરે છે. આ લકે જો અગમ્યવાદ અને એવા જ બીજા વિષય પર પોતાનું પૂરું ધ્યાન લગાવે તો તેઓ જરૂર એ દિશામાં વિકસી શકે અને સારી ખ્યાતિ મેળવી શકે તેમાં જરાય શંકા નથી. આ લેકામાંના ઘણામાં અધ્યાત્મ પ્રદેશમાં પ્રર્વતતા વિચારોને પુષ્કળ સંગ્રહ હોય છે. તેમનામાં પુષ્કળ જ્ઞાન હોય છે અને પદાર્થોનાં આંતર સ્વરૂપ જાણવાનું સામર્થ્ય પણ હોય છે પરંતુ તે જ્ઞાન તેઓએ કયાંથી મેળવ્યું છે તે તેઓ સમજાવી શકતાં નથી. ગૂઢ દૈવી સામ મેળવવાનું તથા આંતર જ્ઞાનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034483
Book TitleBhavishya Vani Vibhag 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorAnadkumar Bhatt
PublisherN M Thakkar Co
Publication Year1943
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy