SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગૌતમસ્વામી ૩૧ આ મારા ગુરુદેવ છે તેમને નમસ્કાર કરે. આ સાંભળી પ્રભુ મહાવીરે કહ્યું. મૈતમ! તેમને શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત થયું છે તેમની આશાતના કર નહિ. ( કેવળજ્ઞાની કેઈને નમસ્કાર ન કરે.) ગાતમને આ સાંભળી ફરીથી વિચાર આવ્યું શું આ બધાને કેવળજ્ઞાન થયું ? તે મને કેવળજ્ઞાન નહિ થવાનું હોય ! પ્રભુ મહાવીર ગૌતમના મનની શંકા સમજી ગયા એટલે તેમણે પૂછ્યું: ગૌતમ! સર્વજ્ઞનું વચન માનવા લાયક કે નહિ માનવા લાયક ? ગૌતમ કહે પ્રભો ! માનવા લાયક, તે તું મારા વચનમાં કેમ શંકા કરે છે? તને જરૂર કેવબજ્ઞાન થવાનું છે.પછી ઉપદેશ દીધેઃ “ હે ગતમ! એક સમય પણ પ્રમાદ કરીશ નહિ. તે જે જીવન શરૂ કર્યું છે તેમાં આગળ વધ. મુશ્કેલીઓથી ડર નહિ. તરત પરિણામ ન આવે તે નિરાશ ન થા. શું શું બાબત કરવી જોઈએ તે સમજી લે, ક્ષમા, નમ્રતા, સરળતા ને સંતેષ ખીલવ. બધી જાતના પાપથી દૂર રહે, શાંતિના માર્ગ તરફ ચાલ્યા જા ને તેમાં આગળ વધ. એક ક્ષણ પણ ગુમાવીશ નહિ. એમ કરતાં પ્રભુ મહાવીરને નિર્વાણકાળ પાસે આવ્યા તેથી ગતમને બેલાવ્યા અને કહ્યું. ગતમદેવશર્મા નામે એક બ્રાહ્મણ છે તેને બેધ પમાડવા જાઓ. ગતમ ગયા, અહીં પ્રભુ મહાવીર નિર્વાણ પામ્યા. ગામ પાછા ફર્યા તે પ્રભુનું નિર્વાણુતેમને એ સાંભળતાંજ આઘાત થયે. મનમાં વિચારવા લાગ્યાઃ પ્રભો! એક દિવસમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy