SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ કબીરે કહ્યું, “મેં આંખ બંધ કરી ત્યારે જ મને ખ્યાલ આવી ગયો હતો, પણ મારે તમને સમજાવવા હતા એટલે મેં એ સમયે ન કહ્યું. એટલું ધ્યાનમાં રાખજે કે હંમેશાં ધર્મથી-નીતિથી મેળવેલા ધનનો સદુપયોગ જ થાય છે, તે ક્યારેય ઉન્માર્ગે વપરાતું નથી. આ ‘સંતવાણી.’ સત્ય છે. छान भाटे प्रसुनो संदेश હેરી થોર્નટન યોગ્ય સંસ્થાઓને ઉદારતાથી દાના આપતા. એક કાર્યકર્તાને પચ્ચીસ ડૉલરનો ચેક તેની સંસ્થા માટે આપ્યો. હજી ચેકની સહી પણ સૂકાઇ ન હતી ત્યાં તો. નોકર એમને એક તાર આપી ગયો, તાર વાંચતા જ એ ધ્રુજી ઉઠયા, તરત જ સ્વસ્થ થઇ એમણે કાર્યકર્તાને કહ્યુંઃ ‘બહુ ખરાબ સમાચાર છે. મને હજારો ડૉલરનું નુકસાન થયું છે. પેલો ચેક પાછો આપો'.. કાર્યકર્તાને થયું કે એઓ હવે ચેક લઇને ફાડી નાખશે. થોર્નટને ચેક લઇ લીધો ને પચીસ ડૉલરનો ચેક બસો પચીસનો કરીને પાછો આપ્યો ને કહ્યું : નખ વધે ત્યારે તેને આપણે કાપી નાખીએ છીએ. જો ન કાપીએ તો આપણે જ વાગે અને પીડા આપે તેમ સંપત્તિ વધતાં તેનું દાન કરવું હિતાવહ છે, નહિ તો એ પરિગ્રહ આપણને જ પીડા આપશે. ‘ભગવાને મને સંદેશ મોકલ્યો છે કે મારી મિલકત બહુ ટકવાની નથી. હું જેટલું આપીશ તેટલું જ મારું રહેશે’.
SR No.034397
Book TitleBharatiya Sanskritima Dan Bhavna
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2009
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy