SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ S૦૦૦૦૦૦૦આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESS SS આ વાત શાસ્ત્રોમાં ઇયળ અને ભમરીના દૃષ્ટાંતથી સુપ્રસિદ્ધ છે. સાધક પ્રભુગુણની મસ્તીમાં ડૂબે, લયલીન થાય. પ્રથમ તો પ્રભુનાં દર્શને તેના ચંદ્રસમ શીતલ મુખ અને પ્રશાંત મુદ્રા જોઈ સાધકની ભવભ્રમણની પીડામાં શાતા મળે, પછી ધીમેધીમે આંતરિક ગુણોમાં પ્રવેશ થાય. પ્રભુમાં રહેલ સમુદ્રમાન અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યનો અનુભવ થાય. આ અનુભવની સાથે જ આ અનુભવ આપનારના ઉપકારગુણનું મરણ થતાં ચિત્ત અહોભાવથી છલકાઈ જાય. સકલ જીવરાશિ પ્રત્યેની અપાર કરુણાનાં દર્શનથી આત્મામાં પ્રભુનો શુદ્ધધવલ ગુણાનુભવ પ્રગટ થાય. અહો પ્રભુ ! અહો પ્રભુ ! કેટલા ઉપકારની વૃષ્ટિ કરી. અનાદિકાળથી નિગોદમાં અપાર પીડા પામતા જીવને નિગોદથી ઊંચે લાવ્યો. પૃથ્વી, પાણી, વનસ્પતિ આદિના ભવભ્રમણથી મનુષ્યભવ સુધી પણ કૃપાદૃષ્ટિથી લાવ્યા, એટલું જ નહીં, મનુષ્યભવમાં આવ્યા બાદ શુદ્ધ ધર્મમાર્ગની સાધના દર્શાવી, જડ અને ચૈતન્યનો ભેદ દેખાડ્યો અને પરપદાર્થની સ્પૃહાને દૂર કરી પરમપથના માર્ગે લઈ ગયા, આવા વિચારો વડે ગુણાનુભવ હંસનું સુમતિ સાથે મિલન થાય તો પ્રભુના ગુણો આપણામાં પ્રગટે અને આપણો આત્મા શુદ્ધ, બુદ્ધ મુક્ત બન્યા વિના રહે નહીં. આત્માના આ પ્રકાશનું આલેખન જ્ઞાનવિમલસૂરિના શબ્દોમાં જ જોઈએ: ગુણીજન સેવાને તુમ આણા, હેજે રસચિત્ત લ્યાવેજી, જ્ઞાનવિમલસૂરિ નૂર મહોદય, દિન દિન અધિકો થાવેજી. ગુણીજનની સેવા અને તમારી આજ્ઞા, બે વસ્તુ નેહપૂર્વક ચિત્તમાં લાવે છે, તેનો જ્ઞાનથી વિમળ આત્મારૂપી સૂર્યનું તેજ મહાન હૃદય પામે છે અને દિનેદિને અધિક થાય છે. આમ, કાવ્યનો પ્રારંભ પરમાત્માગુણોના ચિંતનથી આરંભી અંતે આત્મચિંતનના નવા ઉઘાડમાં કાવ્ય પૂર્ણ થાય છે. સંદર્ભ : (૧) ભક્તિરસ ઝરણા : ભાગ-૨ - સં. અભયસાગરજી મ. (૨) જ્ઞાનવિમલ ભક્તિપ્રકાશ - સં. ડૉ. કીર્તિદા શાહ (૩) ચોવીસી : સ્વરૂપ અને સાહિત્ય - ડૉ. અભય દોશી (પ્રકાશક : સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુર સેંટર) (ડૉ. અભયભાઈ મુંબઈ યુનિ.ના ગુજરાતી વિભાગના ઍસોસિયેટ પ્રોફેસર છે. તેમની વિસિસનો ‘ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય' વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ પ્રગટ થયો છે. વ્યાખ્યાનમાળા અને સેમિનાર્યમાં સફળ પ્રવચનો આપે છે).* 999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 9999999. ગુણવંત બરવાળિયનાં પુસ્તકો ( સર્જન તથા સંપાદન ખાંભા (અમરેલી)ના વતની ગુણવંતભાઈએ c.A. સુધી અભ્યાસ કર્યા બાદ હાલ ટેકસ્ટાઈલ ઈન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે. જૈન કૉન્ફરન્સના મંત્રી, મુનિશ્રી સંતબાલજી પ્રેરિત વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ-ચીંચણી, કલ્પતર સાધના કેન્દ્ર-દેવલાલી, પારસધામ સંઘ ઘાટકોપર, માણગુર જૈન સેંટર, એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશનની સ્પંદન હોલીસ્ટીક ઇન્સ્ટિટયૂટ વગેરેમાં ટ્રસ્ટી છે. ઘણી સંસ્થાઓના મુખપત્રમાં તંત્રી તરીકે સેવા આપેલ છે. અમેરિકા, સિંગાપોર વગેરેમાં તેમનાં સફળ પ્રવચનો યોજાયાં છે. તેમનાં ધર્મપત્ની મધુબહેને હિન્દી સાહિત્યમાં ડૉક્ટરેટ કરેલ છે. જૈન વિશ્વકોશ, “ગુજરાત વિશ્વકોશ તથા જૈન આગમ મિશન સાથે સંકળાયેલા છે. • હૃદયસંદેશ • પ્રીત-ગુંજન • શ્રીમદ્ રાજચંદ્ર એક દર્શન • અમૃતધારા સમરસેન વયરસેન કથા • siseu Bla-ulut Glimpsis of world Religion Introduction to Jainisim • Commentray on non-violence • Kamdhenu (wish cow) • Glory of detachment • ઉપસર્ગ અને પરીષહ પ્રધાન જૈન કથાઓ • વિનય ધર્મ • ભારતીય સંસ્કૃતિમાં દાનભાવના છે ભારતીય સંસ્કૃતિમાં ગુરૂ મહિમા : આગમ અવગણને • જ્ઞાનધારા (ભાગ ૧ થી ૧૫) (જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં વિવિધ વિદ્વાનોના પ્રસ્તુત થયેલા નિબંધો અને શોધપત્રોના સંગ્રહ) : કલાપીદર્શન (ડૉ. ધનવંત શાહ સાથે) વિચારમંથન દાર્શનિક દૃષ્ટા અધ્યાત્મસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા સાથે) • જૈન ધર્મ (પરિચય પુસ્તિકા) • અહિંસા મીમાંસા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) • ચંદ્રસેન કથા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) • અમરતાના આરાધક જૈન દર્શનમાં કેળવણી વિચાર • જૈન દર્શન અને ગાંધીવિચારધારા - અધ્યાત્મનિષ્ઠ સંતબાલજી : આપની સન્મુખ • મર્મ સ્પર્શ (ડૉ. જયંત મહેતા સાથે) વીતરાગ વૈભવ • આગમ દર્શન • જૈન કથામાં સદ્ધોધના સ્પંદનો • જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના • વિશ્વ વાત્સલ્યનો સંકલ્પ • વાત્સલ્યનું અમીઝરણું (માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપો) • આધ્યાત્મિક કાવ્યોમાં આત્મદર્શન • જીવનસંધ્યાએ અરુણોદય • સર્વધર્મદર્શન (વિશ્વના મુખ્ય ધર્મોનો પરિચય) • આદર્શ કેળવણીનું ઉપનિષદ : અણગારનાં અજવાળાં (પ્રો. પ્રવીણાબહેન ગાંધી સાથે) • ઉરનિઝરા (કાવ્ય સંગ્રહ) • તપાધિરાજ વર્ષીતપ • ઉત્તમ શ્રાવકો • દામ્પત્યવૈભવ (દાંપત્યજીવનને લગતા લેખોનો સંચય) - ભગવાન મહાવીર અને સંયમજીવને કે મૃત્યુનું સ્મરણ (મૃત્યુ ચિંતન) • Aagam An Introduction Development & Impact of Jainism in India & abroad. • જૈન પત્રકારત્વ • અધ્યાત્મ આભા • શ્રી ઉવસહર સ્તોત્ર : એક અધ્યયન : શ્રુતજ્ઞાનનાં અજવાળાં જૈન થાનકોમાં સંબોધના સ્પંદન. • રીલેશી (આલોચના અને ઉપાસના) • જૈન ધર્મના ચોવીશ તીર્થકરો • જૈન વિશ્વકોશ ખંડ-૨ (ડૉ. કુમારપાળ દેસાઈ સાથે). E-mail : gunvant.barvalia@gmail.com 022-42153545 ૨૨૯ -
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy