SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ 19 વાબ-૩ खने खाँडिसक्न (02), जानें वस्तुखनां संयोजनची अने હોવાથી, તેમાં જીવ કઈ રીતે હોઈ શકે ? અમુક વસ્તુઓનાં સંયોજનથી ઉત્પન્ન થયેલ પદાર્થમાં જીવ શા માટે ન હોઈ શકે ? કારણ કે, છાણમાં પણ, અમુક સમય બાદ, અમુક દ્રવ્ય-ક્ષેત્ર- કાળાદિનું સંયોજન થતાં, તેમાં આપોઆપ વીંછી તથા કીડાઓની ઉત્પત્તિ જવાં મળે છે. વરસાદને લીધે, અમુક વાતાવરણાદિનો સંયોજન થતાં, આપોઆપ, અસિયાંસાંપોલિયાં – દેડકાં વગેરેની ઉત્પત્તિ ગર્ભ કે ઈંડા વિના) સ્પષ્ટપણે જોવાં મળે છે જ. એ જ રીતે, હાઈડ્રોજન અને ઑક્સિજનનું મિશ્રણા- સંયોજન થતાં, તેમાં અસંખ્ય પાણીનાં જીવોની ઉત્પત્તિ થઈ શકે છે. એમાં કશો વાંધો નથી. [ + ". = 0 (પાણી) પ્રશ્ન-જ પાણીનાં એક ટીપામાં અપાથનાં કેટલાં જીવો રહેલાં છે? જવાબ-જ પાણીનાં એક નાનામાં નાના ટીપામાં, ઓછામાં ઓછા અસંખ્ય જીવો રહેલાં છે. એક ટીપામાં રહેલાં આ જીવોનું કદ જો કબૂતર જેટલું (કલ્પનાથી) કરવામાં આવે, તો આખી પૃથ્વી પૂરેપૂરી ખીચોખીચ હારાઈ જાય, એટલી મોટી સંખ્યાનાં જુવો માત્ર એક ટીપામાં રહેલાં છે. તેથી, પાણીનાં જીવોની વિરાધનાથી બચવાનો પ્રયત્ન, વધુમાં વધુ, શક્ય હોય એટલો કરવો. પ્રશ્ન-૫ શું પાણીમાં જીવ છે ? જવાબ-૫ જૈન દર્શનમાં જે જીવ-વિજ્ઞાન દર્શાવાયું છે, એમાં પાણીને પણ જીવ સ્વરૂપે માનવામાં આવ્યું છે. આજનું વિજ્ઞાન, પાણીમાં જીવ માને છે, પણ પાણીને જીવ તરીકે માનતું નથી. મ, વનસ્પતિ પોતે જીવ સ્વરૂપ છે, તેમ પાણી પણ પોતે જીવ સ્વરૂપ છે. શાક્ભાજીને સમારીને રાંધવાથી, તે જીવરહિત બને છે, તેમ, પાણીને પા ઉકાળવાથી, તે જીવાહિત બને છે. એટલે કે, અગ્નિનું શસ્ત્ર લાગવાથી, તે પાણી સચિત્તમાંથી ચિત્તરૂપે થઈ જાય છે. どう प्रश्न-4 डायां पाएगीने उिडानयाथी जनेतुं पाएं पाली शुं भवरहित जने हो? કઈ રીતે ? ગરમ કરીને બનાવેલ ઉકાળેલું પાણી વાપરવામાં શું જીવહિંસાનો દોષ ન લાગે ? કાચાં પાણીમાં, ક્ષણેક્ષણે, અસંખ્ય જીવો પોતાની મેળે મરે છે અને એટલાં જ પાછા પોતાની મેળે નવાં-નવાં પૈદા થતાં જ રહે છે. પાણીને જ્યાં સુધી ગરમ ન કરવામાં આવે ત્યાં સુધી, આ જમ્મુકરણની સાયકલ સતત ચાલ્યાં જ કરે છે. પરંતુ, પાણીને જો એકવાર ગરમ કરી લેવામાં આવે, તો પછી ક્ષણે-ક્ષણે જે અસંખ્ય જીવોનાં જન્મ-મરણની સાયકલ ચાલતી હતી, તે સ્ટોપ (ડve) થઈ જાય છે, અટકી જાય છે. પાણીને ઉકાળવા જતાં, એકવાર, તો અસંખ્ય જીવોની હિંસા, અચૂકપણે થાય જ છે, પરંતુ, એને બદલે, જે કાયું પાણી પી લેવામાં આવે, તો પા, શરીરમાં દાખલ થયાં બાદ પણ, જીવોની હિંસા થવાની જ છે. શરીરની ગરમીથી પણ તે જીવો હણાય જ છે. એટલે, પાણી ક્રાર્યુ પીવામાં કે ગરમ કરીને પીવામાં, બંનેમાં હિંસા તો થવાની જ છે. પરંતુ, બંને પરિસ્થિતિમાં ફરક એટલો પડે છે કે, સીધું કાચું પાણી પીવાથી, જીવતાં જીવોને સીધેસીધા જ મુખમાં પધરાવવાની ધૃષ્ટતા કઠોરતા કરવી પડે છે, જ્યારે, ઉકાળેલું પાણી પીવાથી, મુખમાં જીવંત નહી પણ નિર્જીવ પદાર્થોનો પ્રવેશ થાય છે. તેથી ઘણો ઓછો દોષ લાગે. 921101-57 વધુ વિસ્તારથી નીચે પ્રમાણે સમજી શકાય છે : સલમાનખાન મિયાં અને શાહરૂખખાન પ્રિયાં, અંતે મમદઅલી રીડ પરથી પસાર થતાં હતાં. રોડની ફુટપાથ પર એક દુકાને, જીવતી મરઘીઓ વેચાતી હતી. બંતે પ્રિયાંઓએ એકેક (એક - એક) મરઘી વેચાતી લીધી. સલમાનખાને, મરઘીને ધેલીમાં મૂકી દીથી, ઘરે જઈને એક ખૂણામાં તેને હલાલ કરીને પછી તેનું માંસ પકાવીને ખાધું. જ્યારે, શાહરૂખખાને તો, પળનોય વિલંબ કર્યા વિના, ભર રસ્તા વચ્ચે જ, મીની પાંખો ખેંચી નાખી અને મરઘીનાં શરીર પર ચાકુ મારીતે, માંસનાં લીધે લોચાં કાઢીને, કાચાંને ડાચાં જ ખાવાની શરૂઆત કરી દીધી. પાંચ જ મિનિટમાં આખી મરઘીનો મુસલી કરી દીધો . જીવ હિંસાનું પાપ તો બેઉને લાગ્યું જ. તે છતાં પણ,
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy