SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ સિદ્ધચક્ર માહાસ્ય પદના નવપદે કયા કયા? બે પદ દેવતવના, ત્રણ પદે ગુરુતત્વના અને બાકી રહ્યા તે ધર્મતત્વના. આ નવ પદેના આલંબન વિના કોઈપણ મક્ષ જઈ શક્યો નથી, જઈ શકતું નથી અને જઈ શકશે પણ નહિ. આ બધા ઉપરથી એકજ વાત આગળ તરી આવે છે અને તે એ છે કે આરાધના દ્વારા આત્માએ શુદ્ધ માર્ગ પામ જોઈએ. જે આત્મા શુદ્ધ માગ પામ્યું નથી તે આત્મા કદાપિ પણ મેક્ષે જઈ શકતું નથી. હવે એ શુદ્ધમાર્ગ કેવી રીતે મળી શકે છે તે વિચારો, એ શુધ માર્ગ મેળવવાને એકજ રસ્ત છે કે નવપદનું આલંબન મેળવવું. મેક્ષના દ્વાર બંધ કયારે? તમે કહેશે કે નવપદની આરાધના નહિ કરવાવાળો હોય પણ એક પદની જ આરાધના કરવાળો હેય તે તે મુક્તિને માર્ગે જઈ શકે ખરે કે નહિ ? આ પ્રશ્નનો ઉત્તર સાફ નકારમાં જ છે. આરાધનામાં ગૌરુતા મુખ્યતા હોઈ શકે છે. નવે પદની આરાધનામાં એક પદ તરફ પ્રધાનતા હોય, પણ માન્યતાની ક્રિયા તે નવે પ્રત્યેજ હોવી જોઈએ. અર્થાત જોઈએ તે એક તરફ મુખ્યતા રાખે પણ નેવે પદેના આલંબનની ભાવના તે હોવી જ જોઈએ. એ રીતની નવપદ તરફની ભાવના ન હોય, નવે પદના આલંબનની વૃત્તિ ન હોય, આઠ પદ તરફ માન્યતા ન હોય અને એકજ પદની આરાધના હોય તે તેમને માટે મોક્ષના દ્વાર બંધ છે. આરાધનાને અંતે હેતુ શો? હવે નવપદની આરાધનામાં હેતુ શું છે તે વિચારે. નયપદની આરાધનામાં તમે હેતુ તપાસશે તે તે માત્ર
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy