SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધચક્ર માહાત્મ્ય ૧૬૨ નવખંડના નરદેવ થયા ! બીજી કાંઇ વાત આપણે યાદ રાખીજ નથી. આ ઉપરથી માલુમ પડે છે કે આપણે શ્રીપાળ મહારાજાના આત્માની દશાને હજી અડકી શક્યાજ નથી ! ત્યારે હવે પ્રશ્ન એ થશે કે શ્રીપાળમહારાજાના કુટુંબ પરિવાર, પેસેાટકા એ બધું ધ્યાનમાં લેવા ચેાગ્યજ નથી; તા પછી શાસ્ત્રકાર મહારાજાએ એ બધુ વર્ષોં યું શા માટે હશે ? શાસ્ત્રકાર મહારાજાએ એ એટલા માટે નથી વર્ણવ્યું કે એ સ્મૃદ્ધિ જોઇ તમે ખુશ થાઓ. જે ધ કથા શ્રવણ કરનાર આત્મિયદશાના સ્પર્શ કરે છે તેવા ભવ્ય આત્માને તેની ઈચ્છા વિના પણ આરાધનાના પ્રભાવ કેટલે છે તે બતાવવા માટે એ સઘળુ કહેવું પડયું છે. શાસ્રકાએ જોકે પૌદ્ગલિક પ્રાપ્તિની વસ્તુ પ્રભાવ દર્શાવવાને માટે કહી છે; પરંતુ તે હકીકત અહીં મનમાં પેસી ગઇ છે અને આત્મપદની પ્રાપ્તિ એ વાત ઉડી ગઈ છે ! અર્થાત શાસ્રકારાએ જે આશયથી સઘળી પ્રભુતા દર્શાવી છે તે આશય વિસ્મરણમાં ગયા છે અને જે ગૌણુ વાત સત્તા મૃદ્ધિ વગેરે શ્રીપાળ મહારાજાને મળી ગયાં તે માત્ર યાદ રહી ગયું છે. વિચાર કરે કે શ્રીપાળ મહારાજે નવપદની આરાધના કેવે પ્રકારે કરી છે. શ્રીપાળ મહારાજે દુઃખમાં પણ નવપદની આરાધના કરી છે; તેવીજ સુખમાં પણ કરી છે. સંપત્તિ વખતે જેવી આરાધના કરી છે તેવીજ આરાધના આપત્તિ સમયે પણ કરી છે. જે પ્રસ'ગે આપુ' ઉજ્જયિની શહેર એક બાજુએ છે અને રાગી દશામાં આવી પડેલા શ્રીપાળમહારાજા એક બાજુએ છે તે પ્રસંગે પણ આરાધ
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy