SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ સિદ્ધચક્ર માહા... સાક્ષાત્કાર કરાવતા ખંચાય છે અથવા બેદરકાર રહે છે ત્યારેજ દુર્જન જીતી જાય છે, તે સિવાય દુર્જન જીતી શકતો નથી ! અહીં પેલા વીંછી અને સંન્યાસીને ઉદાહરણને યાદ કરે. એક સંન્યાસી હતે. નદી ઉતરીને સામે પાર જતું હતું. એટલામાં વીંછી નદીના પાણીમાં તણાતે દીઠે. સંન્યાસીને દયા આવી. સંન્યાસીએ તેને પાણીમાંથી બહાર કાઢવાને માટે પકડયો. જે સંન્યાસી એને પકડે છે, તે જ વીંછીએ ડંખ માર્યો ! હવે સંન્યાસી ગભરાયે અને તેણે વીંછીને પાછો પાણીમાં નાખી દીધે ? વીંછી પાછો પાણીમાં તણાવા લાગ્યો ! ત્યાં સંન્યાસીને પાછી દયા આવી તેણે વિચાર કર્યો કે “વીંછી મને કરડે છે એ વાત ખરી, પરંતુ એ વીંછીનું કરડવું ત્રણ દિવસમાં મટી જશે; ત્યારે એ બિચારો માર્યો જશે તે જિંદગીને જશે !” આ વિચારે સંન્યાસીએ તે વીંછીને પાછો પકડ ! જ્યાં વીંછી પકડાયે ત્યાં ફરી ઠંખો. હવે સંન્યાસીને એકદમ ક્રોધ આવ્યો. તેણે વીંછીને કહ્યું, “અરે મૂર્ખ, તને એકવાર ક્ષમા કરી, ત્યારે હવે બીજી વાર કરડે છે ને ! બસ હવે તું ક્ષમાને અધિકારી નથી. હવે તે તને મતજ આપું છું.” એમ કરીને સંન્યાસીએ વીંછીને નદીમાં નાખી દીધા ! જ્યાં સંન્યાસી વીંછીને નદીમાં નાખે છે કે તરતજ વીંછી હસે છે ! સંન્યાસી કહે છે, “અરે મુખ! જમના ઝપાટામાં સપડાય છે તે પણ હસે છે; કે મૂર્ખ !” વીંછી કહે, “મહારાજ! ભલેને મત તે મેત પણ હસવું શા માટે નહિ ? રાગદ્વેષ એ જગતના
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy