SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધચક્ર માહાસ્ય હવે આપણે એ વાત તપાસીશું કે ગુસ્તત્વની આવશ્યકતા શી છે ? આચાર્યાદિકની જરૂર જ નથી કે શું? આપણે ઉપર એ વાત પુરેપુરી કાળજીથી છણું છે કે અરિહંત મહારાજ એ તે જાણે માલ બનાવનારી પેઢી છે, માલ બનાવનારૂં કારખાનું છે. અને સિદ્ધત્વ એ અરિહંતને માલ સાચવનારી અભંગ બેંક છે ! પરંતુ હવે એ માલને નિકાસ શી રીતે થાય છે તે વાત ઉપર ધ્યાન આપવાનું છે. ધારો કે અરિહંત અને સિદ્ધો એ બેનીજ હસ્તી હોય તે તેનું પરિણામ શું આવે? અરિહંત ભગવાનના કારખાનામાં માલ તૈયાર થતું જાય અને સિદ્ધભગવાનના કારખાનામાં માલ સંગ્રહિત થતું રહે, પરંતુ જે તેની નિકાસજ ન થાય તે એ માલ તૈયાર થાય છે તેને ઉપયોગ કશે જ નહિ! એટલાજ માટે ગુરુતત્વની જરૂર રહે છે. અરિહંત ભગવાનના ઉપદેશ અને સિદ્ધભગવા– નની મહત્તા એના પ્રચારક ગુરુઓ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે સિદ્ધત્વના અને અરિહંતપણાના એજ ટે છે અને સિદ્ધત્વ અને અરિહંતપણાની મહત્તાને તેઓ સમાજમાં પ્રવર્તાવે છે. હવે કઈ એ પ્રશ્ન કરશે કે અરિહંત અને સિદ્ધોના ગુણેના આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પ્રજ્ઞાપક છે અને જે તેમને સિદ્ધચક્રમાં સ્થાન મળે છે તે પછી શ્રાવકો સિદ્ધચક્રની મહત્તાના ગ્રાહક છે, તે શા માટે તેમને પણ સિદ્ધચક્રમાંથી દૂર કર્યા છે ? આ પ્રકનને ઉત્તર એ છે કે શ્રાવકને સિદ્ધચક્રમાં
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy