SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યપદ ૮૫ આપવામાં જૈનશાસને પાંચ કારણે માનેલા છે. કર્મ, સ્વભાવ, ઉદ્યમ, આત્મા અને ક્ષેત્ર; આ બધા જ્યારે એકઠા થાય છે, ત્યારે કાર્ય નિપજે છે. જૈનશાસનને કર્મ વાદ આટલો બધે વિશુદ્ધ અને સર્વથા વિજ્ઞાનિક છે. હવે જે ઉદ્યમવાદને અંગે રાજાને પ્રતાપે કબુલ રાખવામાં આવ્યો હેત તે તેમાં કાંઈપણ ખોટું ન હતું. કમને ઉદય એ કાર્ય છે, પરંતુ એ કાર્યના ઉદયમાં દ્રવ્ય ક્ષેત્ર આદિ સઘળાને કારણ માનવામાં આવ્યા છે. રાજાને પણ સહકારી કારણ ગણી શકીએ, તેમાં જરાયે વાંધે નથી. ઉદ્યમ જેમ મુખ્ય કારણ છે તે જ પ્રમાણે રાજા એ પણ સહકારી કારણ છે. આથી રાજવાદને કબુલ રાખ્યો હોત તે પણ મયણાદેવી પિતાના સિદ્ધાંતને સર્વથા નહિ, તો ઘણે અંશે તે જરૂર સાચવી શકત ! પરંતુ એટલું કરવું તે પણ મયણાદેવીને વાસ્તવિક ન લાગ્યું ! ત્યારે હવે વિચાર કરે કે મયણદેવીએ આટલું કરવું પણ શા માટે યંગ્ય નહિ માન્યું હશે વારૂ ? જેડા અને પાઘડી અને પુરુષને પોષાક છે અને બંને પુરુષે પહેરવા જોઈએ એ પણ સાચું છે; પરંતુ કેઈ જેડા માથે પહેરીને પાઘડી ચીરીને તેને પાટા બનાવીને પગે બાંધશે, તે તે માણસને તમે કે કહેશે વારૂ ? વસ્તુ તેના એગ્ય સ્થાને જ શોભે. - કહેવાની મતલબ એ છે કે જે વસ્તુ ગ્યા હોય તે વસ્તુને ત્યાંજ રાખવી ગ્ય છે. એ વાત મયણના હૈયામાં દઢપણે વસી ગએલી હતી, તેથીજ કર્મવાદ મુખ્ય હેઈ રાજવાદ
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy