________________
138
સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન.
સ્થાનક પાંચ વિચારીને, છઠ્ઠું વર્તે જેહ; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ.
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત;
તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.
શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ; તથા ભવ્યહિત કારણે, કહ્યો બોધ સુખસાજ.
સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ; ષટ્કર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ.
પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત;
તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.
૧૪૦
૧૪૧
૧૪૨