SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ મળતી છે અને પ્રાકૃતના પેટાની બીજી બધી ભાષાઓ પણ મળતી છે.* જૈન ગ્રંથમાં જણાવવા પ્રમાણે સંવત ૫૧૦ માં વલભીપુરમાં મળેલી જૈનપરિષદે જૈન પુસ્તકાર કર્યા. સમર્થ ભાષાશાસ્ત્રી પ્રોફેસર વેબર કહે છે કે જૈનસૂત્રો આ વખતે સ્થાનિક ભાષાનું રૂપ પામ્યાં. મહાવીર સ્વામીની જન્મભૂમિ મગધમાં હતી પણ એમણે જે ઉપદેશ આપ્યો હતો તે સૂત્ર રૂપે આપો નહે. વાર્તા રૂપે એમણે કરેલે ઉપદેશ એમના ગણધરેએ સૂત્રો રૂપે શું હતું. એમ માનવામાં આવે છે કે મગધમાં મળેલી પહેલી જૈનપરિષદે માગધી ભાષામાં સૂત્રસંગ્રહ કર્યો હતો. પ્રો. વેબર કહે છે કે વલભીપુર પરિપદે એ સૂત્રોને સ્થાનિકભાષાનું રૂપ આપ્યું. પિતાના સિદ્ધાંત અભણ લેકે, સ્ત્રીઓ અને બાળકે સુદ્ધાં સર્વ સમજી શકે એવી ભાષામાં “ધર્મોપદેશ થવા જોઈએ, એ બૌદ્ધ અને જૈનધર્મ પ્રવર્તકને ખાસ આગ્રહ હતો. એ આગ્રહને અનુસરીને વલભીપુરની પરિષદે જૈનગ્રંથને સ્થાનિક ભાષાનું રૂપ આપ્યું હોય એ બનવાજોગ છે. | વિવાદને ખાતર એમ માનીએ કે જૈનસૂત્રોની ભાષા તે ગુજરાતી પ્રાકૃત નહિ પણ માગધી અથવા બીજી કોઈ પ્રાકૃત છે, તો પણ પરિણામમાં આપણે માટે કંઈ મેટો ફેર પડવાને નથી. બધી પ્રાકૃત લગભગ મળતી હતી અને બધા પ્રકારની પ્રાકૃત બોલનારી પ્રજા સાથે આપણો સંબંધ હતો. સંબંધ હતો એટલું જ નહી પણ જુદા જુદા પ્રાન્તવાસીઓનું ગુજરાત વાસસ્થાન હતું જુદી જુદી * જિનકીતિસૂરિકૃત “ષભાષા સ્તવન ” નામના છત્રીસ ટુંકના કાવ્યમાં -છ એ પ્રાકૃત ભાષાઓની છ ટુંક આપીને એ ભાષાઓનું સ્વરૂપ સ્પષ્ટ બતાવ્યું છે. એ કાવ્ય પૂરતા વિવેચન સાથે હું જુદું પ્રસિદ્ધ કરીશ. ૧. પુસ્તકપર ચઢાગા-લખ્યા. ૨. ગુજરાતી પ્રાકૃત–તે કાળની લોકભાષા.
SR No.034261
Book TitleSutrakritanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1932
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy