________________
[ ર૯૮ ]. શકે કે તેને દેખીને બીજા આશ્ચર્ય પામે) તથા જ્યોતિષના આઠે અંગમાં પ્રવીણ હાય (એટલે ગમે તેવી વાત ભૂત ભવિખે કે વર્તમાનની કહી શકે) તથા દષ્ટિવાદ નામના બારમાં અંગમાં બતાવેલ તમામ દર્શનેની બતાવેલી જુદી જુદી યુક્તિએને પિતે જાણે અથવા દ્રવ્યના સંગને અથવા હેતુ એને જાણે.
તથા સમ્ય (“અવિપરીત”) દષ્ટિ હોય કે જેથી દેવતાઓથી પણ પોતે ચલાયમાન ન થાય. - તથા અવિતથ (દરેક અપેક્ષાથી સત્ય) જેનું જ્ઞાન હોય આવા પવિત્ર આચાર્ય વિગેરેના ગુણોની પ્રશંસા કરતાં પિતાના આત્માની શ્રદ્ધા નિર્મળ થાય છે, તેજ પ્રમાણે કે પણ ગુણનું વર્ણન કરતાં તે પવિત્ર પુરૂષના ગુણો મળે છે, તથા મંદબુદ્ધિવાળાને તેવા ગુણોનું કીર્તન ન થાય તે તેવા પૂર્વ મહર્ષિનાં નામે લેવાથી પણ ધર્મમાં શ્રદ્ધા થાય છે, અથવા તેવા પુરૂષને સુરનરના સ્વામીઓએ પૂજ્યા તે કથા સાંભળતાં અથવા પુરાણાં ચિને પૂજવાથી કે તેવી બીજી ક્રિયા કરવાથી તેને ગુણેની વાસના મળવાથી દર્શન શુદ્ધિ થાય છે, તે દર્શનની પ્રશસ્ત ભાવના છે.
જ્ઞાન ભાવના, तत्त जीवाजीवा नायव्या जाणणा इहं दिट्ठा। इह कन्जकरणकारगसिद्धी इह बंधमुक्खो य ॥ ३३५ ।।