________________
૯૩ ] उवक्खडेहि, से सेवं वयंतस्स परो आहाकम्मियं असणं वा ४ उवक्खडावित्ता आहट्ट दलइजा तहप्पगारं असणं થા૦ | (g૦ ૧૦)
તે ભિક્ષુ આવું જાણે કે ગામથી લઇને રાજધાની સુધીના આ સ્થાનમાં અમુક સાધુના પૂર્વનાં સગાં તે કાકા વિગેરે છે અને પછવાડેથી થએલા સગાં સાસરીયા વિગેરે છે, તે ત્યાં ઘરવાસ કરી રહેલાં છે, તેમાં ગૃહસ્થથી લઈને કામ કરનાર નોકર બાઈ સુધાં છે, તેવા કુળે જે સગાંસંબંધીના છે તેમાં ન જવું, ન આવવું, સુધર્માસ્વામી કહે છે કે, તેવું કેવલી પ્રભુ કહે છે, કે તેમાં અશુભકર્મ બંધાય છે. - પ્રવે-શામાટે દેષ છે? ઉ –તે ઘરમાં સાધુને માટે પ્રથમથી વિચાર કરી રાખે, એટલે પ્રથમથી ગૃહસ્થ તે સાધુ માટે ઉપકરણ તૈયાર કરાવી રાખે, તથા સેઇ વિગેરે રંધાવી યાર કરાવે, તેથી સાધુઓ માટે આ પ્રતિજ્ઞા વિગેરે પ્રથમથી કહેલ છે, કે તેવા સગા-સંબંધીનાં કુલેમાં ભિક્ષાકાળથી પહેલાં જવું આવવું નહિ, ત્યારે શું કરવું ? તે કહે છે, તે આત્માથી સાધુએ તે ગામમાં પોતાનું કુળ જાણીને સગાં ન જાણે તેવી રીતે પોતે જાય અને ત્યાં ઘરવાળાં ન આવે, ન દેખે, ત્યાં એકાંતમાં રહે, અને ગોચરીના વખતે જુદાં જુદાં કુળમાંથી એષણીય આહાર બધેથી એટલે સગાં કે બીજાને ભેદ રાખ્યા વિના વેષમાત્રથી મેળવે, એટલે ઉત્પાદન દેષ વિગેરે લાગવા ન દે. તે ઉત્પાદન દે નીચે મુજબ છે.